________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંત–મહાત્મા * જે બાળ બ્રહ્મચારી છે, જેણે સ્ત્રીને સંગ કદી પણ કર્યો નથી, જે નાનપણથી જ ધર્મને માગે વળેલો હોય, ધમની આરાધનામાં મસ્ત હોય, ભગવાનની ભક્તિસ્વાધ્યાયમાં જ જે મસ્ત હોય તે અવશ્ય પ્રભાવશાળી હોય છે. તેના શરીરમાંથી શુદ્ધ અને પવિત્ર પરમાણુઓ નીકળતા હોય છે. તે પરમાણુઓ આપણા ઉપર સારી અસર કરતા હોય છે. એવા મહાત્માઓના આશીર્વાદ અવશ્ય ફળે છે.
* તમારો છોકરો સારામાં સારો હોય, ભાગ્યવાન હોય, દયાળુ હેય, ગુણવાન હોય, સેવાભાવી હોય, તેવાને તમે જે ઘેર રાખશે તો તમારા પરિવારનું ભલું કરશે પણ જે તમે સાધુ–સંતને અર્પણ કરશે તે તે મહાન બનશે, જગતમાં પૂજનીય બનશે, લાખે અને ઉદ્ધારક બનશે, દુખિયાનાં દુઃખ હરનાર બનશે અને તમારી શેભાને વધારશે.
* જે સમતાના સાગર છે, સમજુ છે, જે આગળ પાછળને વિચાર કરીને વર્તન કરે છે, ઘણું અનુભવમાંથી પસાર થયેલ છે, જે બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલતા ન હોય પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે, કાચા કાનના નથી, જે સંસારથી અલિપ્ત છે તેમની નિકટ રહેવાથી જે લાભ થાય છે તે બીજી કોઈ પણ જગ્યાએ થતું નથી.
For Private And Personal Use Only