________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રો
( કોબા)
એક પરિચય
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનો ઉદ્ભવ ઉદ્દેશ્ય તથા ઉપયોગિતા અને આજ : પ્રભુ મહાવીરના સિદ્ધાંતમાં જિનબિંબની ભક્તિભાવપૂર્ણ પૂજા અને જિનાગમની જ્ઞાન લક્ષી ઉપાસના આ મુખ્ય તત્ત્વો પર ઘણું જ મહત્વ આપેલું છે. કેમકે વસ્તુત: આ જ તત્વો મોક્ષમાર્ગના પ્રબળ આધાર છે. આ બન્નેના સમન્વયરૂપ “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગુજરાતની પુનીત ધરતી પર આકાર ગ્રહણ કરી ચૂક્યું છે. આ કેન્દ્રમાં રહી કોઈપણ તત્વ પિપાસુ અને ધર્મી જિજ્ઞાસુ સુયોગ્ય સાધુ અથવા ગૃહસ્થ જૈન દર્શન - સાહિત્ય-સંસ્કૃતિ-સ્થાપત્ય-શિલ્પક્લા અને યોગ સાધના જેવા વિષયોનું સૂક્ષ્મ અધ્યયન કરી શકશે.
અમદાવાદ અને ગાંધીનગરના હાઈવે રોડ પર સ્થિત ઉદયમાન આરાધના કેન્દ્ર રમણીય, એકાન, અને ચારે બાજુથી વૃક્ષોની ઘટાઓથી ઘેરાયોલું એક પ્રાકૃતિક સ્થળ છે. સાબરમતી નદીના સમીપમાં સુરમ્ય, શાન્ત વાતાવરણમાં નિર્માણ પામેલા આ કેન્દ્ર સાધના અને અપૂર્વ જ્ઞાનાભ્યાસ માટે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હશે. ધર્મઆરાધના અને જ્ઞાન સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહિ પરંતુ અનેકવિધ જ્ઞાન ને ધર્મ પ્રવૃત્તિઓનો મહાસંગમ એ જ આ કેન્દ્રની
For Private And Personal Use Only