________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મોટાભાગના માણસે જીવે છે ખરા, પણ લક્ષ્ય વિના, કેઈ ધ્યેય વિના. હેતુવિહીન જીવન બધા જીવે છે.
અલબત્ત, પૈસા મેળવવાનું, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મોટાભાગના માનવીઓનું ધ્યેય હોય છે. એ ધ્યેય ઘણાં સિદ્ધ કરે પણ છે.
પરંતુ આવા ધયેયથી આત્માને ઉદ્ધાર થતું નથી, આ માટે જરૂર છે. પ્રથમ આત્મપ્રાપ્તિનું ધ્યેય નક્કી કરવાની.
ધ્યેય નક્કી કરો અને તેના પર નિશાન તાકે. ધ્યેય મુક્તિનું રાખશો અને નિશાન બીજે તાકશે તે મુક્તિ કદી નહિ મળે.
ધ્યેયને સામે રાખી સાધના અને આરાધના કરવાથી જ ધ્યેયને પામી શકાશે. ભૌતિક પદાર્થોમાં ફૂખ્યા રહેવાથી આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ કરી નહિ થાય.
For Private And Personal Use Only