________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ છે રેતી
રેતી રેતી છે ત્યાં સુધી તેની ઝાઝી કિંમત નથી. રેતી જ્યાં સુધી વિખરાયેલી છે, વેરણ છેરણ છે ત્યાં સુધી એ કચડાતી રહે છે. પગ-પગની ઠેકર ખાતી રહે છે. કોઈ તેને ઉડાડે છે, ફેકે પણ છે.
એ જ રેતીના કણે ભેગા થાય છે, તેમાં પાણી, સમેન્ટ વગેરે ભળે છે ત્યારે એ જ રેતી એક તાકાત બને છે. તેની વેરવિખેર શક્તિઓ સાથે સીમેન્ટ વગેરે ભળતાં તે ઉપયોગી અને ઉપકારક બની રહે છે. તેવી રેતીથી ગગનચુંબી ઈમારત બને છે. મોટા મોટા પૂલ બને છે. જંગી બંધ બંધાય છે. આ પ્રભાવ છે રેતીના કણની એકતા. પિતાની છૂટી છવાઈ શક્તિઓને કેન્દ્રિત કરવાને.
જીવનવિકાસ માટે તેમ જ મુક્તિ મેળવવા માટે પણ પિતાનામાં રહેલી વિવિધ શક્તિઓને કેન્દ્રસ્થ કરવાની જરૂર છે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયમાં પ્રચંડ તાકાત રહેલી છે. પરંતુ પગ ચાલે છે. મંદિર ભણું અને હોઠ પર તલપ હોય છે મદીરાની. હાથમાં
૧૨૩
For Private And Personal Use Only