________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી અનંતાભવોથી આત્મા પર લાગેલા કર્મોના કાળા થરોને બાળવામાં આવે તે જ આત્મા તેનું મૂળ સૌન્દર્ય પામી શકે.
આ માટે જરૂર છે તપની, તપથી જીવનને સળગાવવું જોઈએ, જીવન જ્યારે તપથી તપી ઊઠે છે ત્યારે આત્મા વિશુદ્ધ બને છે.
તપના યજ્ઞમાં જીવનને હેમી દે, તપની પવિત્ર જવાળાઓમાં વાસનાઓ અને કામનાઓની કાળાશ બળીને ખાખ થઈ જશે, અને અંતે શુદ્ધાત્મા જ રહેશે.
યાદ રાખો : જ્યોત નથી તે પ્રકાશ નથી, તપ નથી તે જીવનની શુદ્ધિ નથી. આથી જ જીવનને તપમાં સતત તપાવે અને શુદ્ધ-બુદ્ધ આત્માને પામે.
For Private And Personal Use Only