________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ૪ ૫ કચર
[
S
સાયકલ ગમે તેટલી સારી હોય, મેટર ભલે ફોરેનથી ઈમ્પોર્ટ કરી હોય, જહાજ ભલે રશિયા કે અમેરિકાએ ભેટ આપ્યું હોય, બસ ભલે માત્ર દેશના સાધનોથી બનાવી હોય પણ – સાયકલમાં પંકચર પડે, ટાયરમાંથી હવા નીકળી જાય, જહાજમાં કાણું પડે તો?
ન સાયકલ ચાલી શકે છે, ન બસ-મોટર દેડી શકે છે, ન જહાજ આગળ તરી શકે છે.
એક નાનું સરખું પંકચર કે કાણું આવા તોતીંગ સાધનોને પણ નાકામયાબ બનાવી દે છે.
તે શું જીવનમાં વિષય અને કષાયના કાણું હોય તો એ શું નિર્ધારિત સ્થળે પહોંચી શકે ખરું ?
જીવન નાજુક છે. ગમે તે પળે કામ, ક્રોધ વગેરેથી તેમાં પંકચર પડી જ જાય છે. પણ માનવીની આ તે કેવી મૂર્ખામી અને અજ્ઞાન? મેટરનાં પંકરારને તે તુરત સમારે છે અને અનેક પંકચરથી, વિષય-કષાયથી કાણું બનેલાં જીવનને તે સમારતો જ નથી!
જીવનને તેજ દોડાવવું હોય તો તેમાં ક્યાંય પંકચર ન પડે તે માટે સાવધ રહો.
For Private And Personal Use Only