________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૪૭ જ પડખે
lilu
પંખે કુલસ્પીડમાં મૂક્યો છે, પણ હવા નથી આવતી. કેમ? તેનાં પાંખિયા ઉધા ફીટ થયા છે. ઊંધા પાંખિયાના કારણે તેની હવા ઉપર ફેંકાય છે.
પંખાનું કામ હવા આપવાનું છે એ ખરું, પરંતુ તેના પાંખિયા સીધા હશે તો સીધી હવા આવશે, ઊંધા હશે તો હવા ઊંધી વહી જશે. આમાં હવાનો કોઈ વાંક નથી. હવા તો છે ત્યાંની ત્યાં જ છે, પરંતુ પાંખિયા સીધા કે ઊંધા હોવાથી હવાને સાનુકૂળ અને પ્રતિકૂળ અનુભવ થાય છે.
માનવમનનું પણ એવું જ છે. મન કુ-વિચારો કરે છે તો તેને જિંદગીને કડ અનુભવ થાય છે. તે સંકુચિત વિચાર કરે તે દુનિયા તેને સ્વાર્થી અને ખરાબ જણાય છે.
એ જ માનવી સુવિચારો કરે છે તે જિંદગી તેને જીવવા જેવી લાગે છે. ઉદારતાથી વિચારે છે તો તેને ચારે બાજુ પ્રેમ, ઉદારતા અને મૈત્રી અનુભવવા મળે છે.
આથી હે ભાઈ તું તારી ભાવનાઓ બદલ. શુભ ભાવના ભાવ. મંગળ કામના કર અને જિંદગીને તને કોઈ ઓર જ અનુભવ થશે!
૮૪
For Private And Personal Use Only