________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ ૪ પાટા
: -
માની લીધું કે તમે જીવનને રેલગાડી સમજી લીધી.
માની લીધું કે તમે તમારી જીવન ગાડીનું સુકાન ગુરુરૂપી ગાર્ડને સેંપી દીધું.
આ સાથોસાથ એ તે યાદ રાખ્યું છે ને કે રેલગાડી પાટા પર ચાલે છે? સમાંતર પાટા પર ચાલે છે?
એ તે ખબર છે ને કે ડ્રાયવર ગમે તેટલો કુશળ હોય, ડ્રાયવરનાં સંકેત ગમે તેવા ચોક્કસ હેાય પણ આ પાટા બરાબર ન હોય, ઢીલા હોય, ખસી ગયા હોય તો રેલવેનું એન્જિન, કે ડબ્બા કે પછી આખી ગાડી ઉથલી પડે છે?
જીવન ગાડીને પણ પાટા પર ચલાવવાની છે. આ પાટા જીવનની ગાડીને હંકારવા માટેની મર્યાદા છે. મર્યાદા બહાર જીવવાથી જીવનની ગાડી ઉથલી પડે છે.
જીવનની ગાડીને મુક્તિધામ પહોંચાડવી હોય તો વૃત્તિઓ અને વિકારોને મર્યાદામાં રાખો. વિષય અને કષાયે ક્યાંય ભાંગફેડ તો નથી કરીને તેની ચોકસાઈ કરે, અને ગુરુની આજ્ઞા પ્રમાણે જીવે જાવ.
૮૩
For Private And Personal Use Only