SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે તો કશું લેતા નથી.” આ સમયે આચાર્યશ્રી જવાબ આપતાં, “જુઓ, હવે હું ઘરડો થયો છું. તમે લો અને ખાવ. તમારે હજી ઘણું ભણવાનું છે અને શાસનની ઘણી સેવા કરવાની છે.” ભોજન પછી એકસો પગલાં ચાલવું એવો આચાર્યશ્ર્વનો નિયમ હતો અને તેથી ગોચરી લીધા પછી બધે ફરે. નાનામાં નાના સાધુથી માંડીને સહુની સુખશાતા પૂછે. એમને કહે કે કોઇ સેવાકાર્ય હોય તો મને લાભ આપો. કોઇ પુસ્તકની જરૂર હોય તો જણાવો. કોઇ ઉપકરણ જોઇતું હોય તો માગો. આમ નાનામાં નાના સાધુ પ્રત્યે એમની ઉદાર ભાવના જોવા મળતી. તેઓ રાતોઽહં સર્વ સાધૂનામ્' એવું વારંવાર બોલતા અને એમના જીવનવ્યવહારમાં પણ આ ભાવના પ્રગટ થતી હતી. માત્ર સંત-મહાત્માઓ પ્રત્યે જ નહિ બલ્કે નાનામાં નાના સાધુ માટે આવા જ ભાવ અને ભિકત રહેતાં. બપોરે ગોચરી લીધા પછી એકાદ કલાક વિશ્રામ કરે. બે વાગ્યે આગમની વાચના આપે. કોઇ પંડિત દ્વારા નહિ, પણ પોતે જાતે જ બાળસાધુઓને ભણાવે. બપોરના બે થી ચાર સુધી આ વાચના ચાલે. ચાર વાગ્યા પછી પડિલેહણ કરીને શાસનનાં શુભકાર્યો કરતાં. કોઇ દેરાસર માટે આવ્યું હોય, કોઇને પ્રતિષ્ઠા અંગે પૂછવું હોય તો કોઇ વળી મુહૂર્ત કઢાવવા માટે આવે. મહદ્અંશે સાંજે તો ગોચરી કરતા ન હતા. તેઓ બધાના પ્રશ્નોના શાંતિથી ઉકેલ આપતા અને સહુનાં કાર્યો કરતાં. દૈવસિક પ્રતિક્રમણ પછી અધ્યયન અને અધ્યાપનનું પુનરાવર્તન કરતા અને રાત્રે મૌન રાખતા. સાધુઓની આ રાત્રિશાળાનું કારણ એ કે કોઇ પ્રસાદ ન કરે અને ઉલટભેર સ્વાધ્યાય કરતો રહે. લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થતા “સંથારા પોરિસી સૂત્ર” ભણાવી સંથારો કરે. નિદ્રા ન આવે ત્યાં સુધી નવકાર મંત્રનો જાપ મનમાં ચાલુ રાખે. સંથારો કરતી વખતે માત્ર સંથારો અને ઉત્તર પટ્ટો- એ બે ઉપકરણોનો જ મહદ્દઅંશે ઉપયોગ કરતા. માથા નીચે વીંટ્યા(ઓશીકા જેવુ) ન મૂકે. પાછળના સમયમાં લકવા થયો ત્યારે સહુએ એમને ઓશીકું રાખવા આગ્રહ કર્યો. તેથી પૂ. આચાર્યશ્રીને નાનુંશું વીંટયું માથે મૂકવાનું સ્વીકાર્યું. રાત્રે હાથ વગેરે ધોવા માટે, સ્થંડિલ જવા માટે પાણીમાં ચૂનો નાખે. આને પરિણામે પાણીમાં જીવો ઉત્પન્ન થાય નહિ. રાત્રે ભૂલી ગયા હોય તો ચૂનાનો ઉપયોગ ન કરે. ડિલ માટે પણ બીજું ઉકાળેલું પાણી આવે ત્યારે વાપરતા. આમ જીવનની નાનામાં નાની ક્રિયામાં જયણાનો ઉપયોગ રાખતા હતા. આચાર્યશ્રીએ જીવનમાં કદી સાબુ વાપર્યો નહિ. પાણી વાપરવાની બાબતમા ૭૫ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy