SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'वदनं प्रसादसदनं; सदयंहृदयं सुधामुचो वाचः। करणं परोपकारमं येषां केषां न ते वन्याः ॥' ‘પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેના કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને? અર્થાત્ તે સર્વના વંદનીય બને છે.” આચાર્યશ્રીના જીવનને આ સુભાષિત યાર્થથરૂપે પ્રગટ કરે છે. એમના આત્માની નિર્મળતા એમની સૌમ્ય મુખમુદ્રામાં પ્રગટ થતી હતી. એમનાં વ્યવહારમાં દૃષ્ટિસંયમ હતો. એમની વાણીમાં વિવેક હતો. એમના આહારમાં પણ તપ તરફની રુચિ હતી. જે વાપરવા મળે તેમાં રાગ-દ્વેષ ન થાય તેનો ખ્યાલ રાખે. ભાષાસમિતિ. એષણાસમિતિ અને અન્ય સમિતિઓની જાળવણી એવી કે પરમ સાધુતાની શુચિતા દેખાય. * એમની પ્રત્યેક ક્રિયા સંયમપથના યાત્રીની નિર્દેશક હતી. એમને સાધુપદનો ભારે મહિમા હતો. તેઓ વારંવાર ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ કે ‘દશકાલિક સૂત્ર'નો આધાર ટાંકીને સાધુતાની મહત્તા દર્શાવતા. તેઓ કહેતા કે, “જેમ ગાયો ચરાવવાવાળા ગોવાળ અને ધનની રક્ષા કરવાવાળા કોષાધ્યક્ષ તેના સ્વામી હોતા નથી તેમ સાધુવેશ ધારણ કરવાથી કોઈ સાધુત્વનો અધિકારી બની જતો નથી." આવા ‘ ભિખુસુન્ત' ની ભગવાનની વાણીથી તેઓ સાચા સાધુની મહત્તા દર્શાવતા રહેતા. સાધુ મમત્વરહિત, નિરહંકારી તેમજ અર્ચના, વંદના તથા પૂજનની મનથી કદી ઈચ્છા કરનારો હોય નહિ, તેઓ પોતે સાધુત્વના ગૌરવ અંગે સદા જાગ્રત હતા. પૂજય આચાર્ય ભદ્રકરસૂરિજીએ એમના વ્યક્તિત્વને પ્રગટ કરતાં કહ્યું કે જીવતત્ત્વ પર એમને ખૂબ કરુણા હતી.. તેઓ માનતા હતા કે જીવ એટલે કીમતીમાં કીમતી પદાર્થ. એના પ્રત્યે અખૂટ વાત્સલ્ય ધરાવતા હતા. વળી સાધુ કે શ્રાવક કોઇના પણ પરિચયમાં આવે તો એમનું લક્ષ એ જ રહેતું કે મારું કર્તવ્ય શું છે? સામી વ્યક્તિ ગમે તે હોય, પણ એમની દૃષ્ટિ તો * સાધુએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન વડે ચારિત્રઘડતર કરવાનું હોય છે. આ પાંચ સમિતિ તે: :૧: ઈર્યાસમિતિ-સાધુએ કઈ રીતે ચાલવું, ગમનાગમન કરવું તેના નિયમ. ર: ભાષાસમિતિ-સાધુએ કઈ રીતે બોલવું તેના નિયમ. ૩: એષણાસમિતિ-સાધુએ કઈ રીતે આહાર પાણી મેળવવા તેના નિયમ :૪: આદાનનિક્ષેપસમિતિ-સાધુએ નિત્ય ઉપયોગની વસ્તુઓની પરિમાર્જના કરવા તથા લેવા-મૂકવામાં સાવધાની રાખવી તેના નિયમો :: પારિષ્ઠાપનિકા સમિતિ-સાધુએ નિર્વધભૂમિ પર મળમૂત્ર વગેરે વિસર્જન કરવા For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy