________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાધર્મિકો સાધર્મિક ભકિતનો લાભ આપ્યા પછી જ તેઓશ્રી પાસેથી શુભ મુહૂર્ત મેળવી શકતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળપણથી જ પૂ. કૈલાસસાગરજીને નાનાં બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પોતાની ગૃહસ્થ અવસ્થામાં પોતાના મોટાભાઇ બિરચંદજીના પુત્ર રામપ્રકાશને રોજ સાઇકલ પર બેસાડીને બાગમાં લઇ જાય. ખૂબ ફેરવે. ભારે આનંદ કરાવે. આથી રામપ્રકાશજી આજે પણ એમ કહે છે કે એમના પિતાશ્રી બિરચંદજી કરતાં વધુ પ્રેમ કાશીરામજીએ આપ્યો હતો.
પોતે મહાન આચાર્ય થયા છતાં નાનાં બાળકો સાથે નાના બાળક જેવા થઇ જતા. બાળકો આગળ એમનો આનંદી સ્વભાવ ખીલી ઊઠતો. એક વાર તેઓ રસ્તા પરથી પસાર થતા હતા. એક નાના છોકરાને આચાર્યશ્રી પર ભારે અનુરાગ હતો. નાના બાળકે એમને વિનંતી કરી કે નજીકમાં જ મારું ઘર છે. આચાર્યશ્રી આપ પધારો તો હું ધન્ય બની જઇશ. તરત જ આચાર્યશ્રીએ કહ્યું, “ચાલ, મને તારા ઘરનો રસ્તો બતાવ.”
બાળકો આવે તો એને નવકાર બોલાવે. એમને માથે પ્રેમથી વાસક્ષેપ નાખ અને પરોપકાર કરવાની તથા માબાપની સેવા કરવાની શીખ આપે. તેઓ જયાં જયાં જતા ત્યાં બાળકોને બે બાબતો ખાસ કહેતા: એક તો માતાપિતાનો આદર કરવો અને બીજું જિનમંદિરમાં દર્શન કરવાં.
બાળકોમાં સંસ્કારસિંચન કરવાની એમની રીત અનોખી હતી. બાળક જવા બનીને એમની સાથે ભળી જતા અને પછી તેઓ પ્રેમથી જે વાત કહેતા ત બાળકો પણ સ્વીકારતાં હતાં. આચાર્યશ્રીનો આનંદી સ્વભાવ બપોરે બાળમુનિઓને ભણાવે ત્યારે જોવા મળતો. ખૂબ આનંદથી ભણાવે. વચ્ચે વચ્ચે રમૂજ પણ કરે. દીક્ષાર્થી બાળકને બહાર મોકલે ત્યારે શ્રાવકને એને બધે ફેરવવાનું કહે. એક વાર એક સજજન આચાર્યશ્રીની ગોચરી લઇને ગુંદી ગયા હતા. અહીંથી કોઈ દીક્ષાર્થી બાળકને ફેદરા ગામમાં જવાનું હતું. આચાર્યશ્રીએ આવેલા સજજનને કહ્યું કે આને સાવ નજીક આવેલા ફેદરા ગામે મૂકી દેજો. એ પછી દીક્ષાર્થી બાળકને મજાક કરતાં કહ્યું.,
‘ચાલ, તારે ફેદરા જવું છે ને? જો,તારે માટે ખાસ ગાડી આવી છે. પૂજય આચાર્યશ્રીના જીવનમાં અંતિમ અંજનશલાકા હતી પાલી (રાજસ્થાન)ની. આ મહામાગલિક પુણ્ય પ્રસંગે નાના સાધુઓએ આચાર્યશ્રીને આગ્રહપૂર્વક નવાં કપડાં પહેરવા કહ્યું. અન્ય સાધુઓની પણ એવી ઇચ્છા હતી કે આચાર્યશ્રી નવાં કપડાં પહેરે તો સારું. નાના સાધુઓએ અમને આ વિનંતી કરી, ત્યારે આચાર્યશ્રીએ હસતાં હસતાં કહ્યું, “તમે તો ઘરડાંને શણગારવાની વાત કરો છો.'
૬ ૪
For Private And Personal Use Only