________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવક જીવનની પરિસ્થિતિથી ખૂબ અકળાયેલો હોય, કટુતાને કારણે ગુસ્સે ભરાયો હોય, પરંતુ આચાર્યશ્રી પાસે જતો ત્યારે સાવ બદલાઇ જતો ! આચાર્યશ્રીની આસપાસનું વાતાવરણ એટલું બધું સાત્વિકતાપૂર્ણ અને સરળતાભર્યું રહેતું કે ભલભલાનો ગુસ્સો એમને જોઇને ઓગળી જતો. એમના શબ્દોમાં કયારેય આવેશ કે ઉશ્કેરાટ હોય નહિ. સામી વ્યકિતને નિતાંત સ્વસ્થતાનો અનુભવ થાય. કેટલાક તો એમ કહેતા કે એમની આસપાસ દૈવિક પરમાણુના સમૂહથી વાતાવરણ ભરેલું રહેતું કે જેથી મનની નધી વિટંબણા ભૂલી જતા અને ચિત્તને એક પ્રકારની શાંતિનો અનુભવ થતો. સહુને એમની આસપાસ પ્રેમના એક વર્તુળનો અનુભવ થતે.. એની પરિધિમાં આવ્યા બાદ વ્યક્તિ પોતાનો આક્રોશ ખોઇ બેસતી. પાણહ્રદયનો માનવી પણ પીગળી જતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર એક પ્રકારનું મેગ્નેટ છે અને એમની પાસે વિચારોની એટલી શુદ્ધતા હતી કે કેટલાક તો એમની પાસે માત્ર બેસવા જ આવતા, કારણકે ઝંપની સમીપ બેસવાથી વ્યકિતને અવર્ણનીય શાંતિનો અનુભવ થતાં. એમ પણ જરૂર પૂરતું બોલવું. ઝઘડામાં પડવું નિહ. ઇયાં સમિતિ સચવાય તેનું ધ્યાન રાખવું. આ બધું એમના સંપર્કમાં આવનારને સ્પર્શી જતું. શાંત, શુધ્ધ, સંયમમય જીવન પ્રભુભકિતથી અને આરાધનાથી એવું ભર્યું ભર્યું હતું કે તેમાંથી ઉત્પન્ન થતા પ્રકાશ અને સૌમ્યતા જ તેમને જે કહેવાનું હોય તે બાલ્યા વગર પ્રગટ કરી દેતાં હતાં.
પૂ. આ. કૈલાસસાગરસૂરિજીનું જીવન એટલે શ્રાપકો પ્રત્યે અપાર કરુણાભર્યું જીવન. આટલી ઊંચી પદવી હોવા છતાં શ્રાવકને અંતરના ઉમળકાથી બોલાવે. કોઇ શ્રાવકને ત્યાં પૂજન હોય તો આગ્રહની કદાપિ અપેક્ષા ન રાખે, શ્રાવક ઔપચારિક રીતે બોલાવવા ન આવે તોયે સામે ચાલીને આવા ધર્મકાર્યમાં પહોંચી જાય.
એમના જીવનનો એક પ્રસંગ અવિસ્મરણીય છે. અમદાવાદનો ઉનાળાનો ધોમધખતો તાપ હતો. એ દિવસે એમને શ્રમ પણ ઘણો લાગ્યો હતો. દેવકીનંદનના ઉપાશ્રયથી બળબળતા બપોરે એમને સિધ્ધચક્ર પૂજનમાં નારણપુરા જવાનું હતું. પૂ. આચાર્યશ્રી પૂજનમાં જવા ઊભા થયા. આ જોઇને પૂ. જ્ઞાનસાગરજીએ લાગણીભર્યાં અવાજે કહ્યું,
“આવા તડકામાં જશો તો પગ શેકાઇ જશે. રસ્તામાં ઝાડ નથી, છાંયો નથી અને આટલી બધી ગરમી છે.”
પૂ.આચાર્યશ્રીએ માર્મિક ઉત્તર આપ્યો, તડકાનો વિચાર કરીએ તો તડકો લાગે. હું માથે કામળી ઓઢી નવકાર ગણતો ગણતો પહોંચી જઇશ. મને તડકો કોઇ દિવસ નડતો નથી '
૬ ર
For Private And Personal Use Only