________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કરુણા સર્વ પર કરવી,
બૂરાનું પણ ભલું કરવું. ધરો મહાવીરની આજ્ઞા,
હુકમ મારા શિષ્યોને.” * ૧ ના અYિ ? તા રા પ પરની ઊંચાઈ માનવી સ્પર્શી ચૂકયો છે. પરંતુ મરના પુરુષોના ગુણસમૂહની ઊંચાઈને સમગ્રતયા સ્પર્શવી મુશ્કેલ છે. જેમની વાણીમાં મધુરતા હોય, વ્યવહારમાં વિનય હોય, જીવનમાં નિ:સ્પૃહતા હોય, સંસમમાં દઢતા હોય, યોગમાં લીનતા હોય એવી વિભૂતિના જીવનને સર્વાશે પા 'ખવું શક્ય બને ખરું? કાના સાગર પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના વ્યક્તિત્વની ઊંચાઈ કેસ જેટલી હતી તો ગહનતા અને વિશાળતા મહાસાગર જેટલી હતી. આવા મહાસાગરમાંથી આપણે તો થોડાં પાણીદાર, નવલખાં મોતી જ મેળવી શકીએ. પ્રક્રિશ્ચિથી કેટલાંય જોજન દૂર રહેતી આવી નિઃસ્પૃહ વિભૂતિની જીવનઘટનાઓ મોટેભાગે અજાણી અને અપ્રગટ રહેતી હોય છે. એમની ગહન સાધનાના કઠિન પંથનો જનસમાજમાં ભાગ્યે જ કોઇને પરિચય હોય છે. એમના પ્રત્યક્ષ પરિચયમાં આવનારને આવી વિભૂતિની આછેરી ઝલક મલી હોય છે. પરંતુ શબ્દો પાસે ક્યાં છે સંતને પ્રગટ કરવાનું સામર્થ્ય? શબ્દોથી તો મહાપુ ષોની માત્ર આછી પાતળી રેખા જ દોરી શકાય. આચાર્ય કૈલાસસાગરના વિરાટ વ્યક્તિત્વની થોડી ઘણી ઝાંખી કે ઝલક જ આપણે શબ્દોથી પામી શકીએ. જીવનમાં ત્રણ મૌન મહત્ત્વના છે. પ્રથમ મૌન છે વાણીનું જેના અભાવે જગતમાં મહાભારત સર્જાયુ. બીજું મૌન છે કાનનું. કે જેમાં કાનપરનિંદા સાંભળવા સહેજે રાજી ન હોય. ત્રીજું અને કપરું મૌન છે આંખોનું જે આંખ સદા નમ્રતાથી નમેલી અને વિભૂષિત હોય, વાત્સલ્યથી નીતરતી હોય. પૂજય આચાર્ય કૈલાસસાગરસૂરિજીના પરિચયમાં આવનારને સૌથી પહેલી નજરે એમની આંખોનું મૌન સ્પર્શી જતું. સામાન્ય માનવી વિચારે ચડી જતો કે આવા મોટા ગચ્છાધિપતિ કેટલી બધી નમ્રતા ધારણ કરે છે. તેઓ દેરાસરમાં દર્શન કરતા હોય, કોઈ શ્રાવક સાથે વાર્તાલાપ કરતા હોય, કે પછી વ્યાખ્યાન આપતા હોય કે વિહાર કરતા હોય, પરંતુ એમની દૃષ્ટિ સદાય નીચી જ હોય. આનું કારણ શું હશે? & આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી લિખિત ભજનપદ સંગ્રહ' ભાગ-૬
પ૩
For Private And Personal Use Only