________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખતા હતા.
પૂ. ફૂલચંદજી મહારાજે કાશીરામને બોલાવ્યો અને એકાંતમાં સમજાવવાની કોશિશ કરી. કાશીરામે દૃઢતાથી કહ્યું કે જેમ પિતા એક જ હોય તેમ ગુરુ પણ એક જ હોય. જેમણે મારા પર અસીમ ઉપકાર કર્યો, તેમને મૂકીને હું બીજે દીક્ષા લઉ ં તો કેવો અપકારી ગણાઉં? મારા જેવો કૃતઘ્ની બીજો કોણ હોઇ શકે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીરામજી પર સતત દબાણ વધતું હતું. એમને સમજાવવા બધા જુદી જુદી રીતે કોશિશ કરતા હતા. પૂ. ફૂલચંદજી મહારાજે એમને ફરી સમજાવવા કોશિશ કરી, ત્યારે મક્કમ કાશીરામે એકાંતમાં કહ્યું, “હું અહીં તમારી પાસે દીક્ષા લઉં પછી તમે મને ગુજરાતમાં જવા દેશો ખરા? હું ત્યાં જઇને તપાગચ્છમાં દીક્ષા લેવા માગું છું. એમાં તમે સંમતિ આપશો ખરા?” પૂ. ફૂલચંદજી મહારાજે કહ્યું, “એવું તો કઇ રીતે બની શકે? એમાં તો મારું નાક કપાઈ જાય."
કાશીરામે ઘેર આવ્યા પછી મીઠાઇ અને દૂધનો પણ ત્યાગ કર્યો હતો. ફક્ત એક ઘી વિગઇ અને દાળ-શાક લેતા હતા. વળી હમેશાં એકાસણું તો હોય જ. આ સમયે પલંગ પર સૂતા નહિ, કાચું પાણી પીતા નહિ અને આખો દિવસ સામાયિકમાં જ રહેતા.
આમ ઘરમાં હોવા છતાં સંપૂર્ણ સાધક જીવન એમણે શરૂ કર્યું. ભાગ્યે જ કોઇની સાથે વાતચીત કરતા. મોટે ભાગે મૌન રહેતા. ક્યારેક કોઇ ગુસ્સે થઇને એમ પણ કહેતું કે ‘તુ તો મૂર્તિપૂજક થઇને પથ્થરની મૂર્તિ જેવો જડ થઇ ગયો છે. કોઇ વાત જ સમજતો નથી.' કાશીરામ આનો ઉત્તર આપવાને બદલે મૌન જ રહેતા.
રામિકેશનદાસજી કાશીરામને સમજાવવા ખૂબ કોશિશ કરતા, પણ કાશીરામ તો મક્કમ હતા કે મારે દીક્ષા તો તપાગચ્છ મૂર્તિપૂજકમાં જ લેવી છે. રામકિશનદાસજીને માટે ધર્મસંકટ હતું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના આગેવાન હતા. તેઓ કઇ રીતે પુત્રને મૂર્તિપૂજકમાં દીક્ષા કાજે વિદાય આપી શકે? છેવટે વિચાર્યું કે કોઇ નિમિત્તે શોધીને કાશીરામને બહાર મોકલી દેવા અને પછી એમને જે કરવું હોય તે કરે.
કાશીરામનો વિચાર સહુની સંમતિ લઇને જવાનો હતો, પણ મહારાજશ્રીએ સમજાવ્યું કે એ સરળ નથી, કારણ કે ઘરના લોકો એમને હસતે મુખે વિદાય આપે તેવી કોઇ શકયતા નથી. માતા પોતાનો અગાધ પ્રેમ કઇ રીતે હૈયામાં સમાવી શકે? વળી બીજી બાજુ ઘરમાં સહુને રડતા-કકળતા અને વિલાપ કરતા મૂકીને ચાલ્યા જવું એ પણ બરાબર ન ગણાય. આવી કરુણ પરિસ્થિતિને
૩૫
For Private And Personal Use Only