________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાં તપાસ કરી, પણ કોઇ સ્થળેથી કાશીરામનો પત્તો લાગ્યો નહિ. કાશીરામ ગુજરાતના મહેસાણા જેવા ગામમાં હોય એવો તો એમને સ્વપ્નેય ખ્યાલ આવે ક્યાંથી?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગરાવ ગામના એક ફોજદાર રાશિનદાસજીના મિત્ર હતા. રામકિશનદાસજી એમની પાસે ગયા અને એમને શોધખોળમાં મદદ કરવા વિનંતી કરી. ફોજદારને કહ્યું, “મહિનાઓ વીતી ગયા છતાં મારા પુત્રનો કોઇ પત્તો નથી. તમે ગમે તેમ કરીને ભાળ મેળવી આપો. તમારી પાસે પોલીસતંત્ર છે. તમે પંજાબ તો શું, આખા દેશમાંથી શોધી કાઢો તેમ છો.”
ફોજદારે કહ્યું, “મારી પાસે સર્ચવોરંટ હોય તો હું ત્રણ દિવસમાં એમનો પત્તો મેળવી આપું.”
“સર્ચવોરંટ માટે મારે શું કરવું પડે?” રામિકશનજીને એક નવી આશા બંધાઇ.
ફોજદારે કહ્યું, “બસ, તમે એટલી ફરિયાદ કરો કે મારો પુત્ર મારા ઘરમાંથી કીમતી દાગીના ચોરીને ગૂપચૂપ નાસી છૂટયો છે. આવી ફિરયાદ પરથી સર્ચવોરટ કાઢીને હું ત્રણ દિવસમાં એનો પત્તો તમને મેળવી આપીશ.” રામકિશનદાસજી, મૌન થઇ ગયા. એમની નજર સામે ધાર્મિક પુસ્તકોનો ભાવપૂર્વક અભ્યાસ કરતો કાશીરામ તરવરી ઉઠ્ઠયો. પિતાની આજ્ઞા ઊઠાવતો ભણેલો-ગણેલો જુવાન દેખાવા લાગ્યો. એના પર ચોરીનું સાવ ખોટું આળ કઇ રીતે મૂકી શકાય?
ફોજદારને થયું કે રામકિશનજી કોઇ ઉપાય વિચારે છે. મૌન તૂટયું. રામકિશનદાસજીએ કહ્યું, “મારા પુત્રને નાહક બદનામ કરીને મારે કશું કરવું નથી.”
એવામાં પીંધરાજ પર્યુષણપર્વ આવ્યાં. આખા ઘરમાં ફરી કાશીરામની યાદ સજીવન થઇ ગઇ. આ પર્વના દિવસોમાં કાશીરામ કેવી સરસ ધર્મ-આરાધના કરતા હતા એની સ્મૃતિ સહુના મનમાં સળવળી ઊઠી. આ પવિત્ર દિવસોમાં કાશીરામના ધાર્મિક અભ્યાસનો લાભ સહુને સાંપડતો. સાંવત્સરિક ક્ષમાપનાનો દિવસ પણ પસાર થઇ ગયો. ઘરમાં સતત સહુને કાશીરામની ખોટ ખટકતી રહી.
એવામાં એક દિવસ નવી આશાનો સૂરજ ઊગ્યો. રામકિશનદાસજીને ઘેર ઉર્દૂ ભાષામાં લખાયેલી એક ટપાલ આવી. સામાન્ય રીતે રામકિશનદાસજીની બધી ટપાલ જગરાંવના બજારમાં કમિટી ગેઇટ નીચે આવેલી એમની અનાજ-કરિયાણાની દુકાન પર. આવતી હતી. આજે ભલા, આવી હશે? રામકિશનદાસજીની માતાએ ટપાલ
ઘેર કેમ ટપાલ
૨૮
For Private And Personal Use Only