SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રિશ્ચિયન ડ્રાયવર તો મૂંઝાઈ ગયો. એને હતું કે મોટરના કેવા હાલહવાલ થશે, પણ હકીકતમાં મોટરને કશું જ ન થયું. એક ગોબો પણ ન પડ્યો! ક્રિશ્ચિયન ડ્રાયવરે પૂછયું કે આમ કેમ? એણે તો જિંદગીમાં આવું કદી જોયું જ નહોતું. ફતેહચંદજીએ કહ્યું કે આ તો ધર્મનો પ્રતાપ છે! સાયનની પ્રતિષ્ઠા વખતે માણસો વધી ગયા. આટલા બધા માણસોને મીઠાઈ કઈ રીતે પૂરી પડશે? રસોઈ કરી હતી ૧૫,000 માણસની પણ જમનારા એક-બે હજાર નહિ પણ પૂરા ૨૨ હજારથી વધુ હતા. પૂજય કૈલાસસાગરજી રસોડામાં પધાર્યા, કહ્યું કે દીવો કરો અને મીઠાઈને કપડું ઢાંકી રાખો. બન્યું એવું કે પંદર હજારની રસોઈમાં ૨ ૨ હજાર માણસો નિરાંતે જમ્યા! વિ. સં. ૨૦૨ પની જેઠ સુદ ૬ના દિવસે સાયનમાં પ્રતિષ્ઠા હતી. કૈલાસસાગરજી મહારાજે સાયનની જૈન સોસાયટીમાં રહેતા ફતેહચંદ કેસરીચંદને ભગવાનના માતા પિતા થવા માટે અને અંજનશલાકા માટે પ્રેરણા આપી. તેર દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવાઈની વાત એ છે કે જયાં સુધી પ્રતિષ્ઠા હતી ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈ ડૉકટરને ત્યાં દવા લેવા ગયું નહિ. આવો પ્રતિષ્ઠાનો પ્રભાવ હતો! પ્રતિષ્ઠા વખતે ફતેહચંદજી પાસે જે કંઈ મૂડી હતી, તે વાપરી નાખી. આમ છતાં પૂ. કૈલાસસાગરજીએ પહેલી માળ પહેરવાનું કહ્યું. એમને કહ્યું હતું કે બરાબર ટેકો આપજો. ફતેહચંદજી ચાહીને મોડા ગયા. મહારાજસાહેબનું વ્યાખ્યાન ચાલતું હતું. એમણે ફતેહચંદજીને આગળ બોલાવ્યા. ફતેહચંદજીએ કહ્યું કે, હું ઘી બોલું અને કાલે કાંઈ થાય તો?” મહારાજસાહેબે કહ્યું કે, “તમને દેવાદાર નહિ થવા દઈએ.” હકીકતમાં બનતું પણ એવું કે ફતેહચંદજી જેટલો ખર્ચ કરે, તેનાથી બમણી એને પ્રાપ્તિ થતી. એમણે કળશ પર સોનું ચઢાવ્યું. બાર મહિનામાં એટલું જ પ્રાપ્ત થયું. અમદાવાદની મિરામ્બિકા સોસાયટીના શ્રાવકો ઓરણ ગામમાંથી ઘરદેરાસર લાવ્યા હતા. સુમતિનાથ ભગવાનની મનોરમ પ્રતિમાજી હતી, પરનું ચાર-ચાર વર્ષથી જમીનના અભાવે કશું થતું નહોતું. સહુએ એ ઘર દેરાસર પાછું આપી આવવાનો વિચાર કર્યો. તેર વર્ષ પહેલાંની આ વાત છે. વિ. સં. ૨૦૩૨નું વર્ષ હતું. પૂ. કૈલાસસાગરજી મહારાજ અહીં પધાર્યા હતા. તેઓ રાજેન્દ્ર શાહને ત્યાં હતા. રાત્રે બે થી ચાર દરમિયાન ધ્યાન કરવાના હોવાથી શ્રાવકને પણ નહિ ૧ર૬ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy