________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભાસે કહયું: “હે પ્રભો! જ્ઞાનેન્દ્રિયોના અભાવમાં મુક્તાત્માને પરમજ્ઞાન થાય છે, આ વાત શી રીતે માની શકાય?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ જવાબ આપ્યો: “જ્ઞાન એ આત્માનો ગુણ છે, ઇન્દ્રિયોનો નહિ. જેમ પરમાણુ કયારે ય સૂપ વગરનો હોતો નથી. એ જ રીતે આત્મા કયારે ય જ્ઞાન વગરનો ન હોય. કર્મોના આવરણથી જ્ઞાનમાં અવરોધ ઊભો થાય છે. આ આવરણ દૂર થતાં આત્માની અવ્યાબાધ (બાધા વગરની) જ્ઞાનાવસ્થા પ્રગટ થઈ જાય છે.
“આ જ કારણ છે કે મુક્તાત્માને પરમ જ્ઞાન થાય છે. મડદારૂપી શરીર ન તો સાંભળી શકે છે કે ન તો જોઇ શકે છે. ન સૂધી શકે છે ન ચાખી શકે છે. કે ન તો સ્પર્શી શકે છે. જયારે પાંચે જ્ઞાનેન્દ્રિયો તેનામાં નથી તો અનુભવ કોણ કરી શકે( મુક્તાવસ્થામાં જીવને સર્વોત્તમ જ્ઞાન અને દર્શન હોય છે; જેને કેવળજ્ઞાન અને કેવળદર્શન કહેવામાં આવે છે.
“કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ જેને થાય છે, તે આત્મા પરમ આનન્દનો અનુભવ કરે છે. સર્વોત્તમ સુખમાં રમણ કરે છે.”
પ્રભાસે કહયું: “પ્રભુ) સુખ એ તો પુણ્યનું ફળ છે. મુક્તાત્માનું પુણ્ય તો નાશ પામી ગયું છે; તો એને સુખ શી રીતે મળી શકે("
પ્રભુએ કહયું: “હે સૌમ્ય) પુણ્યનું ફળ સુખાભાસ છો; સુખ નહિ. જેને લોકો સુખ કહે છે, તે તો વ્યાધિપ્રતીકાર માત્ર છે. (અર્થાત્ દુ:ખના પ્રતીકાર રૂપ જ છે.) આથી જ ક્ષણિક છે. ખુજલીને ખણવાથી જે સુખનો આભાસ થાય છે; તેવુંજ સંસારના સધળા સુખ માટે સમજવું જોઇએ. ખજવાળવાથી ખાજ વધે છે, આથી જ જેના દ્વારા દુ:ખ વધે, તેને સુખ ન કહેવાય. “નિર્વાણ અવસ્થામાં સુખનો આભાસ આપનારું પુણ્ય હોતું નથી. પરંતુ સાહજિક, સ્વાભાવિક, પરિપૂર્ણ અને સ્થાયી સુખ હોય છે. આથી જ માનવું જોઇએ કે નિર્વાણમાં પરમ સુખની અનુભૂતિ થાય છે.”
પ્રભુની વાણી સાંભળીને પ્રભાસજીનો સંશય દૂર થઇ ગયો.
મોક્ષના વિષયમાં એક શંકા તમને પણ થઇ શકે છે કાળ અનાદિ અનંત છે. આથી અનંત અનંત કાળ પસાર થઇ ગયો. એમાં અનંતા જીવો મોક્ષમાં ચાલ્યા ગયા. આ પરિસ્થિતિમાં મોક્ષ ભરાઇ જવો જોઇએ. અને સંસાર ખાલી થઇ જવો જોઇએ. પરંતુ સંસાર તો જેમનો તેમ સલામત છે. આ સંસાર જીવોથી ખાલી કેમ થતો નથી?
७८
For Private And Personal Use Only