________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોહીના કોઈ ડાઘ દેખાય નહિ. પછી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બરાબર બે વાગે માલગાડી આવી. જિનની લાઈટમાં ડ્રાઈવરે જોયું કે પાટા ઉપર કોઈ માણસ પડેલો છે. તેથી તેના મનમાં શંકા જાગી કે કોઇએ કોઈ માણસનું ખૂન કરી નાખીને લાશને પાટા ઉપર નાખી દીધી હશે એવું તો નહિ હોય ને? જો એમ બન્યું હશે તો નકામો જૂઠો કેસ મારા નામે મંડાઈ જશે! એણે ગાડીને બેક મારવાનું શરૂ કરી દીધું બેક લગાતાર મારવાના કારણે ધીરે ધીરે ગાડીએ લાશ પાસે આવતાં તો રોકાઈ ગઈ. નીચે ઉતરીને ડ્રાઈવરે જોયું તો સ્પષ્ટ થઈ ગયું કે મામલો તો ખૂનનો જ છે. તરત જ એણે સ્ટેશનમાસ્તરને જગાડયો. અને કહ્યું: આપ આવીને જુઓ. કોઈએ હત્યા કરીને લાશને ટ્રેનના પાટા ઉપર નાખી દીધી છે. પોલિસને બોલાવો. પંચનામું કરાવો. અને લાશને બાજુ પર હટાવી લો. એ પછી જ હું માલગાડી આગળ વધારીશ.” સ્ટેશનમાસ્તરે કહયું: “મને સખત ઊંઘ આવે છે. તમે લાશને એક બાજુ હટાવીને ગાડી આગળ વધારો. અમે તમારી વિરુદ્ધ કોઈ પગલું નહિ લઈએ.” ગાર્ડ પણ આવી ગયો. એણે કહયું “જુઓ. અમે કાનૂન વિરુદ્ધ કોઈ કામ નહિ કરીએ. તમે આવીને એકવાર મામલો જોઈ લ્યો અને સમજી લો.” સ્ટેશન-માસ્તરની આનાકાની અને બહાનાબાજી ચાલી ન શકી. અને એને ઊઠીને ત્યાં જવું જ પડયું જયાં લાશ પડેલી હતી. પ્રકાશમાં જયારે લાશનો ચહેરો સ્ટેશનમાસ્તરે જોયો તો તે છાતી-માથા કૂટતો જોર જોરથી રડવા લાગ્યો: “હાય! હાય! આ તો મારો જ દીકરો છે. ધનની લાલચમાં આવી જઈને મેં જ એની હત્યા કરાવી નાંખી. મારા જેવો પાપી બીજો કોણ હશે? મારું પાપ મને જ ડૂબાડી ગયું! ધિક્કાર છે મારી જાતને!” આ રીતે વિલાપ કરવાથી સારી પોલ પકડાઈ ગઈ. પાપ પ્રગટ થઈ ગયું. અને પોતાના બેટાની હત્યા કરાવવાના ગુના હેઠળ એને તથા પેલા હરિજનનેબન્નેને જેલમાં જવું પડયું. પરંતુ આ રીતે અદલા-બદલી શી રીતે થઈ ગઈ? એનો વિચાર કરીએ. જયારે પેલા હરિજને છૂરીની ધાર તેજ કરવા માટે અડધા કલાકનો સમય માંગ્યો હતો, ત્યારે જ એક પડોસી હરિજનને દયા આવી ગઈ. એણે ચુપચાપ બધી વાત સાંભળી લીધી હતી. કહે છે ને કે, “મારનાર કરતાં બચાવનારના હાથ વધારે લાંબા હોય છે. મારનારના બે હાથ હોય છે તો બચાવનારના હજાર હાથ હોય છે.”
પ૬
For Private And Personal Use Only