________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મના વિષયમાં આટલી લંબાણપૂર્વક ચર્ચા એટલા માટે કરી કે શ્રી ઇન્દ્રભૂતિના નાના ભાઇ અગ્નિભૂતિના મનમાં ‘કર્મ’ વિષે શંકા હતી. જેવી રીતે પ્રભુએ ઇન્દ્રભૂતિના મનની શંકાનું નિવારણ કર્યું તે જ રીતે અગ્નિભૂતિના મનની શંકાનું પણ પ્રભુ મહાવીરદેવે સુંદર રીતે કરી આપ્યું. પ્રભુના સમવસરણમાં પહોંચતા જ અગ્નિભૂતિનું મન શાના.... નિર્વિકાર... નિર્દેર થઇ ગયું. પણ સાથે સાથે એમની શંકાનું સમાધાન પણ પ્રભુ કઇ રીતે કર્યું, એ અંગે આપણે હવે પછીના પ્રકરણમા જોઇશું.
*
સમજૂતી
*હાર અને જીત એ મનુષ્યના અહંકારનું પ્રતીક છે. પરંતુ સમજૂતી કે સન્ધિ એની બુદ્ધિમત્તાનું ચિહન છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાર અને જીતનો પ્રશ્ન પશુઓ વચ્ચે પણ ઊભો થઈ જાય છે. પરંતુ સમજૂતી જેવી કલ્પના પણ ત્યાં નથી હોતી.
બે બળદ, સાંઢ, ઘેટા, કૂતરા અને મરઘા, પરસ્પર લડતા લડતા લોહી-લુહાણ થઈ જાય છે. મરી જાય છે. અથવા તો મેદાન છોડીને ભાગી જાય છે. પરન્તુ સમજૂતી કે શાંતિથી વાતનો નિકાલ લાવવાનું એમના દિમાગમાં નથી આવતું.
સમજૂતી એ મનુષ્યની બુદ્ધિની નીપજ છે. જે મનુષ્ય યુદ્ધ કે ઝઘડા સમયે સમજૂતીની ભાષા નથી સમજતો, એ માનવ અને પશુમાં શો ફેર?
નેતૃત્વના બે ગુણ
એક જિન જેમ પચાસ-સાઇઠ ડબ્બાઓને પોતાની સાથે લઈ જઈ શકે છે. તે જ રીતે એક દૃઠ સંકલ્પવાળી વ્યક્તિ પોતાની સાથે હજારો લોકોને લઇને આગળ વધી શકે છે.
સમાજનો નેતા એન્જિન જેવો છે. જે પોતાની શક્તિ ઉપર ભરોસા રાખે છે અને સૌનું ધ્યાન રાખે છે. કયાંક પણ ગરબડ થઈ હોય તો એને સુધાર્યા વગર આગળ વધતો નથી.
એન્જિનની જેમ નેતામાં પોતાનું સાહસ અને પોતાના અનુગામીઓ પ્રત્યે વાત્સલ્ય, આ બે ગુણો અતિ જરૂરી છે.
૪૫
For Private And Personal Use Only