SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીગુ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાદરમાં શ્રી અમદાવાદના શ્રાવકે શ્રી મણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ ઝવેરી બાપાલાલભાઈ તથા ડાહ્યાભાઈ ઝવેરી કેશવલાલભાઈ વિગેરે શ્રવકના આગ્રહથી ગુરૂશ્રી અમદાવાદ પધાર્યા સંઘે સમહત્સવ પ્રવેશ કરાવ્યું. સંવત ૧૯૬૮ના જેઠ સુદી ૧૪ અમદાવાદ આંબલીપોળે સ્વશિષ્ય સમુદાય સાથે પધારીને ગુરુશ્રી સુખસાગરજી મહારાજની અનુમતિથી અમદાવાદમાં માસુ કર્યું. વિશેષાવશ્યક સૂત્રનું વ્યાખ્યાન તથા ધર્મ રતનપ્રકરણને ઉપદેશ શરૂ કર્યો. શ્રોતાવર્ગે અપૂર્વે તત્વજ્ઞાનને વૈરાગ્યમય આત્માનુભવ કર્યો. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ ચાણસ્માથી વિહાર કરી શંખેશ્વર ભેયણ પાનસર વિગેરે તીર્થસ્થળોએ યાત્રા દર્શન પૂર્વક વિહાર કરી અમદાવાદ આગમન કર્યું. ત્યાંથી સાણંદના સંઘના આગ્રહથી શ્રી રંગસાગરજી તથા દ્ધિસાગરજીને સાથે રાખી મહત્સવ સાણંદ પધાર્યા. ત્યાં ત્રણ શ્રાવિકાઓને મહત્સવ પૂર્વક દિક્ષા આપી. વિમલશ્રી, જનશ્રી, તથા નવલશ્રી નામ રાખવામાં આવ્યાં. ત્યાંજ શ્રી પૂજ્ય ગુરુશ્રી બુદ્ધિસાગરજીએ મેકલાવેલા શ્રી અજીતસાગરજી તથા જીતસાગરજી પૂજય સુખસાગરજી ગુરૂદેવને આવી મળ્યા. ત્યાંથી ગુરૂદેવ, શ્રી રંગસાગરજી ત્રાદ્ધિસાગરજી, શ્રી અજીતસાગરજી, જીતસાગરજી, વિગેરે મુનિવરેની સાથે ગેધાવી સાંતજ કલેલ પાનસર રાજપર વિગેરે સ્થળોએ થઈ મહેસાણા પધાર્યા પાટણ સંઘની વિનંતિથી તથા ત્યાં રહેલા પન્યાસજી ચતુરવિજયજીના આગ્રહથી પાટણમાં પધાર્યા. For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy