SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) થાય છે. એમ નિશ્ચય થાય છે. સંસારની ઉપાધિયોથી છૂટવાનું મન જેમ જલમાં કમલ રહે છે પણ તે જલથી ન્યારૂં રહે છે, તેમ સમકિતી જીવ ભોગાવલીકમના ઉદયે સંસારમાં રહે છે છતાં સંસારથી ન્યારો રહે છે. ધાવમાતા જેમ બાળકને રમાડે છે પણ મનમાં જાણે છે કે તે મ્હારો આળક નથી તેમ સમકિતી જીવ પણ જાણે છે કે, ભોગાવલીકમના ઉદયે જે જે પદાર્થોનો સંબંધ થયો છે તે તે પદાર્થો મ્હારા નથી અને હું એનો નથી. આવી દશામાં કપાયના ઉપશમાદિ ભાવે ચોથા ગુણુસ્થાનકમાં પણ સમભાવરૂપ અમૃતનો લેશ ટે છે. શુકલ શુકલ પરિણામથી ઉપર ઉપરના ગુણસ્થાનકમાં સમભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. જેમ જેમ આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરતો જાય છે તેમ તેમ સમતારૂપ અમૃતનો સ્વાદ વિશેષતઃ ભોગવે છે. સમભાવથી જે સહજાનન્દ પ્રગટે છે તેનો સ્વાદ તે દશામાં જે વર્તે છે તેજ ચાખે છે, અનુભવરૂપ જિન્હાવર્ડ સમભાવથી થતા આનંદનો સ્વાદ ચાખી શકાય છે, આવો સમભાવીય સહનન્દ અપૂર્વ છે, અકૃત્રિમ છે, આત્માના ઘરનો છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જે ધ્યાન કરે છે તેજ સમભાવથી થતા આનંદને ભોગવી શકે છે, ધ્યાનવિના સમભાવ પરખાતો નથી, ધ્યાનવિના ચંચળતા મટતી નથી, ધ્યાનવિના મન સ્થિર થતું નથી, ધ્યાનવિનાનું જ્ઞાન છે તે ઉપરટપકીયું છે, ધ્યાની પુરૂષ આત્માનો સહજાનંદ ભોગવી શકે છે, જ્ઞાન વિના ધ્યાન હોતું નથી, કારણ કે જો આત્માનું જ્ઞાન ન હોય તો આત્માનું ધ્યાન શી રીતે કરી શકાય ? આત્માનું જ્ઞાન હોય છે તોજ આત્માનું ધ્યાન થઈ શકે છે એવો નિશ્ચય છે, માટે ધ્યાનના અભિલાષિઓએ આત્મજ્ઞાન કરવું. કારણ કે ધ્યાન પ્રતિ, જ્ઞાન કારણીભૂત છે, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી અનુભવ અને તેથી સમભાવ અને તેથી સહાનન્દ સ્ફુરે છે. આ માખતનો અનુભવ ધ્યાનીને થાય છે. માટે આત્માર્થી જીવોએ ધ્યાનિની સંગત કરવી. ધ્યાનયોગીને અવશ્ય જ્ઞાનયોગ હોય છે, ધ્યાનયોગ વિના કોઈ કદાપિ મુક્તિ પામનાર નથી. દયાનયોગ વિના મનની ચંચળતા ટળવાની નથી તે બતાવે છે, જોડ मनश्चञ्चलतां प्राप्य, यत्रतत्र परिभ्रमत् । स्थिरतां लभते नैव, आत्मनो ध्यानमन्तरा ॥ २५ ॥ શબ્દાર્થ:—મન ચંચળતા પામીને જ્યાં ત્યાં પરિભ્રમણ કરતું હતું, આત્માના યાનવિના સ્થિરતાને પામતું નથી. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy