SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) જાય વા નીચે જાય તો પણ તે ખરા સુખનો અધિકારી બનતો નથી. સુખ લેવા માટે દુનિયા મથે છે પણ અને જ્યારે ખરું સુખ મળતું નથી ત્યારે હાથ ખંખેરે છે. રાજા, બાદશાહ અને ચક્રવર્તિને પણ બાહ્ય પદાર્થોથી ખરૂં સુખ મળતું નથી. બાહ્ય પદાર્થો વડે કોઈ ધનપતિ, સુખ લેવા પર્વતના શિખરોપર હવા ખાવા જાય, તે પણ ત્યાં ખરું સુખ મળતું નથી અને ક્ષણિક સુખ સદાકાળ રહેતું નથી. શારીરિક રોગોથી બાદશાહો, શહેનશાહ પણ દુઃખી થાય છે. બાહ્ય હવા ખાવાના પર્વતો પર ચઢેલા બાદશાહો પણ માનસિક ચિતાથી જરા માત્ર સુખ પામી શકતા નથી. ગાડીમાં બેસી ફરનારા પરિવારવાળા અને કરીડાધિપતિ શેડો પણ મનમાં ઉત્પન્ન થએલ ચિન્તાસાગરમાં બુડે છે. ઉપરથી હસે છે, છતાં અન્તરમાં મહાદુઃખ પામે છે. કોઈ ધનની ચિત્તાથી દુઃખ પામે છે, કોઈ આજીવિકાથી દુઃખ પામે છે, કોઈ પદવીઓ માં લોભની ચિન્તાથી દુ:ખ પામે છે, કોઈ પુત્ર પ્રાપ્તિની ચિતાથી દુઃખ પામે છે. કોઈ વિદ્યા ભણવાની ચિન્તાથી દુઃખ પામે છે, કોઈ વૈભવ થતાં માનની લાગણીથી દુઃખ પામે છે, કોઈ આબરૂદાર છતાં અપકીર્તિના ભયથી દુઃખી થાય છે, કોઈ બ્રહ્મચારી છતાં વ્યભિચારના ચઢેલા આરોપથી દુઃખી થાય છે, કોઈ પારકાની અદેખાઈથી દુઃખી થાય છે, કોઈ અનેક પ્રકારના રોગોથી દુઃખી થાય છે, કોઈ અનિષ્ટ વસ્તુઓના સંયોગથી દુઃખી થાય છે, કોઈ અનેક આળ ચઢવાથી દુ:ખી થાય છે, કોઈ પોતાની ઇચ્છાઓ પૂર્ણ ન થતાં દુઃખી થાય છે, કોઈ વિદ્વાન છતાં ખામંડનમાં હારે તો દુઃખ પામે છે, કોઈ અનેક પદવીઓને ધારણ કરે છે છતાં અનેક તૃષ્ણઓથી દુઃખી થાય છે, કોઈ ઘણા પરિવારવાળો છતાં પણ અન્ય પદાર્થોથી દુઃખી થાય છે. કોઈ મનુષ્ય, અનેક પ્રકારનાં સુખમાં લયલીન રહે છે પણ એક જાતના દુઃખથી તે સડે છે. સુખના માટે મનુષ્યો ગમે ત્યાં જાય છે પણ તેથી તેઓ શાંતિ પામતા નથી અને ઉલટા અશાન્ત પ્રવાહમાં ઘસડાય છે. કોઈ મનુષ્ય, હવા ખાવાને માટે અને તેથી સુખ લેવાને માટે હવાનાં સ્થળો શોધે છે અને ત્યાં ઘણા વખત સુધી રહે છે તો ત્યાં પણ સુખ, ભાસતું નથી, તેથી કહેવું પડે છે કે ક્ષણિક પદ્ગલિક સુખ માટે દેવલોકમાં જવાની ઈચ્છા કરો વા ભુવનપતિ થવાની ઈચ્છા કરશે, પણ ક્ષણિક સુખો અને નષ્ટ થતાં પાછી સુખની ઈચ્છા કરવી પડે છે અને તે માટે અનેક બાહ્ય હેતુઓને સેવવા પડે છે, તો પણ સદાકાળનું નિત્યસુખ તો મળતું નથી, કારણ કે બાહ્યતૃષ્ટિથી, બાહ્ય પદાર્થોમાં સુખની બુદ્ધિ થાય છે અને બાહ્યપદાર્થોની ક્ષણિકતાથી બાહ્ય સુખ ટળે છે. શુદ્ધદ્રષ્ટિ પરાડ મુખ જીવ, ખરું સુખ જોઈ શકતો નથી, તેમ તેનો અનુભવ કરી શકતો નથી. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy