________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
શબ્દાર્થ:—ભાવ ચારિત્ર કાર્યમાં દ્રવ્ય ચારિત્ર કારણ છે. જગતના દરેક પદાર્થોમાં કાર્યકારણ ભાવની વ્યવસ્થા સારી રીતે વર્તે છે.
ભાવાર્થ:—મન, વચન અને કાયાના યોગનો શુભ વ્યાપાર કરવો એ દ્રવ્ય ચારિત્ર છે. ભાવ ચારિત્રરૂપ આત્માની શુદ્ધ પરિણતિની આવિૉંવતામાટે ત્રણ યોગની ક્રિયાઓ તથા અન્ય ચારિત્રનાં ઉપકરણો વગેરે સર્વની આવશ્યકતા છે. દ્રવ્યચારિત્રનો ગમે તે ભેદ પામ્યાવિના ભાવારત્રની આવિર્ભાવતા થતી નથી. ઘટરૂપ કાર્યના માટે જેમ નિમિત્ત કારણોની જરૂર રહે છે, પુત્રોત્પત્તિમાટે જેમ, કાલ, જનક અને જનનીની નિમિત્ત કારણતાની અપેક્ષા રહે છે, તેમ ભાવચારિત્રમાં દ્રવ્યચારિત્રની આવ શ્યક ઉપયોગિતા રહે છે. પાંચ કારણવના કાર્યની ઉત્પત્તિ થતી નથી. પાંચ કારણમાં કેટલાંક નિમિત્ત કારણ અને કેટલાંક ઉપાદાનકારણ છે. કષાયોની મન્ત્રતા જે જે ઉપાયોથી થાય એવાં કારણો અનેક છે, અને તે વ્યવહાર ( દ્રવ્ય ) ચારિત્રરૂપ કહેવાયછે. દ્રવ્ય ચારિત્રવÝ આત્મામાં ઉજ્જવલ પરિણામની વૃદ્ધિ થાય છે. સાધ્યમાં દત્તલક્ષ્યવૃત્તિવાળાને કચચારિત્ર ઉપચોગી થઈ પડે છે. આત્મા, મન વચન અને કાયાના યોગનું અવલંબન કરે છે. પાંચ સમિતિરૂપ ચારિત્ર પણ તેનાવડે પાળે છે અને તેથી તે પોતાના શુદ્ધધર્મની વૃદ્ધિ કરે છે. ક્ષણે ક્ષણે ઉજ્જવલ પરિણામમાં વૃદ્ધિ કરતો રહે છે. નીચેનું ગુણ સ્થાનક ત્યાગ કરીને ઉપરનું ગુણ સ્થાનક અવલંબે છે. જેમ જેમ તે આત્મામાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી સ્થિર થતો જાય છે, તેમ તેમ તે સહજ સુખામૃત રસનું પાન કરે છે.
આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર શ્રીસદ્ગુરૂવિના પ્રાપ્ત થતું નથી, શ્રીસદ્ગુરૂ નાપૂર્વક ચારિત્ર જણાવે છે, માટે સદ્ગુરૂની પાસે ચારિત્ર અવળેાથી ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરવું એમ હુવે જણાવે છે, श्लोकः आत्मसद्धर्मलाभार्थ, सेव्यः सद्गुरुयोगिराट् । सप्तनयैर्विजानीहि, चारित्रं क्रमशुद्धिमत् ॥ ६९ ॥
શબ્દાર્થ:—હે ભવ્યાત્મન!!! આત્માના સદૂધર્મની પ્રાપ્તિમાટે સદ્ગુરુ યોગિરાજ સેવવા યોગ્ય છે, માટે શ્રીસદ્ગુરૂદ્વારા સાત નયોથી જ ક્રમવડે શુદ્ધ એવું ચારિત્ર સ્વરૂપ જાણું.
ભાવાર્થ: —આત્માના સદ્ધર્મની પ્રાપ્તિમાટે સદ્ગુરૂની સેવા કરી જોઇએ. ગુરૂસેવાવિના અનુભવ મેવા મળતા નથી. જગત્માં અનેક કળાઓ માટે અનેક કળાચાર્યોની ઉપાસના કરવી પડે છે.
**
ગુરૂ દીવો ગુરૂ દેવતા
For Private And Personal Use Only