SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) કરાવે છે; મોટા મોટા ધ્યાનીઓને પણ તું હારા દાસ બનાવે છે. હું લોભા હારા વશમાં આવેલા પ્રાણિયો ચોરી કરે છે, પર્વતના શિખર પર ચડે છે અને સમુદ્રના તળીએ પ્રવેશે છે. અરે લોભ ! વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવોમાં પણ તું વાસ કરીને રહ્યો છે. તે લોભ ! તું મહારાજાનો અગ્રગણ્ય સુભટ છે, જેથી ત્યારથી સર્વ જીવો ભય પામે છે; પણ અજ્ઞાનના ઉદયે તું સર્વ જીવોને વહાલો લાગે છે. હું લોભ! હારા ઉદયે અનેક જીવો યુદ્ધ વગેરેમાં મર્યા, મરે છે અને મરશે. હે લોભ ! હારું નાટક જગતમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું. હે લોભ ! હારા પાશમાંથી જે જીવો છહ્યા તે ત્રણ ભુવનના રાજા થાય છે. સ્ત્રીને લોભ, પુત્રનો લોભ, રાજ્યનો લોભ, વસ્ત્રલોભ, પાત્રલોભ, ધનલોભ, ધાન્યલોભ, ક્ષેત્રલોભ, ગૃહલોભ, સુવર્ણલોભ, પુત્રીલભ, કુટુંબલોભ, પદવીલોભ, કીર્તિલોભ, માનપૂજાલોભ, યશનો લોભ, મહત્તાલોભ, સત્તાલોભ, ભક્તલોભ, શિષ્યલોભ, આજીવિકા લોભ, ભજવસ્તુલોભ, રૂપલોભ, વિદ્યાલોભ, પુસ્તકલોભ, સ્વદેશલોભ, પરદેશ લોભ, વ્યાપારલોભ અને હુન્નરકળાલોભ. ઈત્યાદિ અનેક પ્રકારના અપ્રશસ્ય અને પ્રશસ્ય લોભ હોય છે. લોભના ચાર પ્રકાર છે. અનંતાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લોભ અને સંજવલનનો લોભ. અનંતાનુબંધી લોભથી નરકગતિમાં જવાય છે, અપ્રત્યાખ્યાની લોભથી તિર્યંચની ગતિમાં જવાય છે, પ્રત્યાખ્યાની લોભથી મનુષ્યગતિમાં જવાય છે, સંજવલન લોભથી દેવલોકની ગતિમાં જવાય છે. આ કાલમાં સર્વ પ્રકારે લોભનો ક્ષય થતો નથી. લોભની દશા ત્યાગ કરવા યોગ્ય છે. लोभ त्याग करवाना उपायो. સંતોષને ધારણ કરવાથી લાભનો ક્ષય થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી જડ વસ્તુઓમાંથી પ્રેમ નાશ પામે છે. બાહ્યવસ્તુઓમાં મહારાપણની બુદ્ધિ ત્યાંસુધી રહે છે કે જ્યાં સુધી તેમાં ઈષ્ટપણાની બુદ્ધિ જાગ્રત રહે છે. જે વસ્તુઓ પિતાની થઈ નથી અને થવાની નથી તેમાં અહંમમતાની બુદ્ધિ ધારણ કરવી યોગ્ય નથી. પરવસ્તુઓમાં સુખની બુદ્ધિથીજ લોભ થાય છે; પણ જ્યારે પરવસ્તુઓમાંથી સુખની ભ્રાંતિ ટળી જાય છે ત્યારે તે વસ્તુઓ હોય તો પણ તેમાં રૂચિ થતી નથી. આત્માનું સત્યસુખ છે તે આત્મામાં રહે છે, ત્યારે શા માટે અન્ય વસ્તુઓમાં મુંઝાવું જોઈએ? અલબત ન મુંઝાવું જોઈએ. આત્માની રૂદ્ધિ આત્મામાં છે. તેમાંજ સુખબુદ્ધિ રાખી રમણતા કરવી જોઈએ. જે જે વખતે લોભના વિચારો હૃદયમાં જે જે વસ્તુઓ સંબંધી પ્રગટી નીકળે ત્યારે, તેઓને સંતોષના વિચારોથી દબાવી દેવા. સંતોષના વિચારોમાં એટલી બધી શક્તિ છે કે તેની આગળ લેભનું કશું કંઈ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy