________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
કર્મનાં દલિક ગ્રહણ કરે છે, આ ઉપાયથી આત્મસાધકોને તીર્થંકર પદની ઇચ્છા હોય તો દેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ, સર્વ જીવોને ધર્મ બનાવવા. આવી ભાવદયાનો સાગર હૃદયમાં ઉભરાતાં તીર્થંકરનામ કર્મ અનેક જી
એ ભૂતકાળમાં બાંધ્યું અને બાંધશે. તેમજ મુક્તિ પામ્યા અને પામશે, મનમાં ભાવદયાના ઉપદેશની ભાવના ઉલસે અને વાણીવડે ઉપદેશ ન દેવાય તોપણ તીર્થંકરનામ કર્મ બંધાય છે, જેઓ અન્યને ઉપદેશ દેવાની ઈચ્છા રાખતા નથી, ફક્ત પોતેજ તરવું એમ ઇચ્છે છે, કોઈને ઉપદેશ આપતા નથી તે કેવલજ્ઞાની થાય છે તો પણ મૂકકેવલી રહે છે. કાવ્ય જીવોને અનંત સુખ આપવા જેઓની ઈચ્છા છે તેઓએ ભવ્ય જીને તારવા માટે આત્મધર્મ ઉપદેશ આપવા તૈયાર થવું. પાપના ઉપદેશ કરતાં પુણ્યનો ઉપદેશ અત્યત્તમ છે, આશ્રવના ઉપદેશ કરતાં સંવરને ઉપદેશ અત્યુત્તમ છે. મિથ્યાત્વનો ઉપદેશ વા મિથ્યાત્વ ગ્રંથો બનાવવા કરતાં સમ્યક્ત્વનો ઉપદેશ અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવા ગ્રંથો બનાવવા તે અનંતગણ ઉત્તમ કાર્ય છે.
વ્યાવહારિક વિદ્યાની કેળવણીનો ઉપદેશ અને તત્સંબંધી ગ્રંથો રચવાના કરતાં ધાર્મિક વિદ્યા અને તરસંબંધી ગ્રંથો રચવા તે અત્યુત્તમ કાર્ય છે, દ્રવ્યજ્ઞાનના ઉપદેશ કરતાં ભાવશાનને ઉપદેશ આપવો વા તે પ્રાપ્ત કરવું તે અનંતગુણ ઉત્તમ છે, અશુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્યર્થે ઉપદેશ આપવાના કરતાં શુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્યર્થ ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે. આજીવિકાનો ઉપદેશ આપવા કરતાં મન અને આત્મા સુધરે તે ઉપદેશ આપવો વા તે માટે સહાય આપવી તે ઉત્તમ કાર્ય છે. વ્યવહારમાં રહેવાનો ઉપદેશ આપવા કરતાં આત્માના ધર્મમાં રહેવાનો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે, સંસારસુધારાના ઉપદેશ કરતાં ધર્મના સુધારાને ઉપદેશ આપવો તે અનંતગણ ઉત્તમ કાર્ય છે, શ્રાવક કરવાનો ઉપદેશ દેવા કરતાં સાધુ કરવાનો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે, એકાંત ધર્મને ઉપદેશ કરતાં અનેકાંત ધર્મને ઉપદેશ આપવો એ અનંતગુણ ઉત્તમ કાર્ય છે, રાગદ્વેષવૃદ્ધિકારક ઉપદેશના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય તેવો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ છે, અશાંતિના ઉપદેશ કરતાં શાંતિનો ઉપદેશ અનંતગણ ઉત્તમ છે. એકાંત વસ્તુનું સ્વરૂપ બતાવવા કરતાં અને કાંતપણે વસ્તુનું સ્વરૂપ બતાવવું (ઉપદેશવું) એ અનંતગુણ ઉત્તમ છે, એકેક નયથી એકાંતે વસ્તુ સ્વરૂપ સમજાવવાનો ઉપદેશ આપવા કરતાં સાત નોથી અનેકાંતપણે વસ્તુધર્મ સમજાવવામાટે ઉપદેશ આપવો એ અનંતગણ ઉત્તમ છે. જડ પદાર્થના જ્ઞાન માટે ઉપદેશ આપવો તેના કરતાં આત્મજ્ઞાન માટે ઉપદેશ આપવો એ અનંતગુણ ઉત્તમ છે. આમ અપેક્ષાએ સમજવું. આ ઉપરથી ભવ્યોના સમજવામાં આવશે કે આત્મ
યો૦ ૧૦
For Private And Personal Use Only