________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતે હોય તે પણ તે કિયા તત્વથી યુક્ત નથી, કારણકે તત્ત્વજ્ઞાનથી વિરોધી ક્રોધ, લોભ, માન, માયાથી યુક્ત ક્રિયા થતી હોવાથી, તે ક્રિયા અધ્યાત્મ સેગમય નથી, તેથી અચરમ પગલ પરાવર્તવાલા આત્માને અધ્યાત્મ નથી એમ કહેવું
ગ્ય જ છે. ૯૨
વિવેચન –અભિગ્રહિત વા અનભિગ્રહિત મિથ્યાત્વભાવવાલા જીવાત્માઓ જે જે કિયાધર્મ બુદ્ધિથી કરતા હોય છતાં જ્ઞાનીએ તેને ધર્મ ક્રિયા માનતા નથી. કારણ કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ દ્વેષ, કામ, ઈચ્છા અને મુછથી મલીન આત્માવાળા ભવાભિનંદી જી હોવાથી તેમની ક્રિયા ધર્મક્રિયા છે એમ જ્ઞાનીઓ માનતા નથી. વળી તેઓની પ્રવૃત્તિ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની સમ્યગ શ્રદ્ધા રૂપ સમ્યગધર્મથી વિરૂધ્ધ ભાવવાહી હેય છેતેમજ તે ભવાભિનંદીએ દયા, દાન, બ્રહ્મચર્ય અકિંચન્ય, સત્યવાગ વિગેરે સત્યતત્વથી વિરૂધ્ધ ભાવવાલા હોવાથી વિનજય વા સત્યસિદ્ધિ કરી અધ્યાત્મભાવ સિદ્ધ કરવા તેમની અશુધ્ધ એટલે મલિન બુદ્ધિ સમર્થ થઈ શકતી નથી. અહિ એક દ્રષ્ટાંત જણાવે છે—જેમ લેભ કિયા અને ક્રોધ ક્રિયા આત્માને શાંતિ આપતી નથી, તેમ ભવાભિનંદિની ઉપર જણાવી તે કિયા ધર્મબુદ્ધિવાલી હોય તે પણ અધ્યાત્મ એટલે આત્મસ્વરૂપને જાણવા માટે સમર્થ થઈ શકતી નથી. ૨
સંકલના છતાં મૂલ વાત ઉપર આવીને તે મૂલ વાતને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only