________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ मुक्त्वाऽतो वादसट्ट-मध्यात्ममनुचिन्त्यताम् । -नाविधृते तमस्कन्धे, ज्ञेये ज्ञान प्रवर्तते ॥६९॥
અર્થ–આથી વાદ વિવાદના સંઘટ્ટ (અથડામણ) નો ત્યાગ કરીને એક માત્ર અધ્યાત્મ ભાવને વિચાર કરે જોઈએ. કારણ કે સર્વ અજ્ઞાન રૂપી અંધકાર સમૂહને દૂર કર્યા સિવાય (એક અધ્યાત્મ ભાવ મય ક્રિયાના અનુભવ રૂપ) રેયને વિષે જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ૬૯
વિવેચન-વાદ વિવાદથી પરમાર્થની સિદ્ધિ થતી નથી, પરંતુ અધ્યાત્મ ભાવથી જ સત્ય પારમાર્થિક જીવાજીવ તત્વની પ્રતીતિ થાય છે. એટલે અધ્યાત્મ ભાવ તત્વાર્થ શ્રદ્ધાનું ઉપાદાને કારણે થાય છે. તેથી અન્ય વાદ વિવાદથી એટલે એક મધ્યસ્થ સભાપતિ અને સભ્યથી યુક્ત સભાની આગળ વાદી અને પ્રતિવાદીઓને અનુક્રમે સ્વપક્ષ અને પર પક્ષની સિદ્ધિ કરવા પૂર્વ પક્ષ એટલે વાદી અનેક અકાટય યુક્તિ પૂર્વક સ્વપક્ષને પ્રતિપાદન કરે છે. ત્યારે પ્રતિવાદી તેનું ખંડન કરતે, વાદીની યુક્તિઓને તેડતે પિતાના પક્ષની સિદ્ધિ કરે છે. તે પછી વાદી પણ તે પ્રતિવાદીના સિદ્ધ કરેલા વિચારોનું ખંડન કરે છે, એમ પરસ્પર વાદ વિવાદ કરતા વાદી તથા પ્રતિવાદીને કઈ પણ કાલે પારમાર્થિક તત્ત્વોની સિદ્ધિ થતી નથી. કહ્યું છે કે “તર્ક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય.” પરંતુ અધ્યાત્મ ભાવની વિચારણ કરવાથી કષાયથી ઉપ
For Private And Personal Use Only