________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૯ ]
" सामर्थ्ययोगतो या, तत्र दिदृक्षेत्यसङ्गशक्त्यादया।
साऽजालम्बनयोगः, प्रोक्तस्तद् दर्शनं यावत् ॥१॥" અર્થ આ આત્મા સર્વ પ્રકારના મન, વચન અને કાયાને સુખ આપનારા સંગના સંબંધનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય યોગરૂપ આત્મ વીર્ય–શક્તિથી પૂર્ણ એવા ક્ષેપક શ્રેણિના ગુણસ્થાનક પરિણામના ગે શુદ્ધ ન્મ સ્વરૂપના દર્શનની પ્રત્યક્ષ કરવાની તીવ્રતર ભાવના પ્રગટે છે. અને તે આત્માને પ્રત્યક્ષ કરીને જ વિરમે છે. તે યોગને નિરાલંબન યોગ કહે છે. અહીં આત્માને જ્ઞાનાદિ ગુણરૂપ પરમ તવ દર્શન એટલે કેવલજ્ઞાન દર્શન સમજવાં. તે પ્રગટ થયા બાદ અનાલંબન એગ રહેતું નથી, કેવલ જ્ઞાનદશનનું પૂર્ણ આલંબન પ્રત્યક્ષ થયેલ હોવાથી તેનું આલંબન હોય છે. જેમકે પરમ તત્વને લાભ મળ્યો નથી પણ તેને મેળવવા માટે ધ્યાન રૂપે કરાતી પ્રવૃતિ તે જ અનાલંબન એગ કહેવાય છે. અને તે ક્ષેપક શ્રેણિમાં ચઢેલ મહામુનિરૂપ ધનુર્ધર ક્ષપકશ્રેણિરૂપ ધનુષના દંડથી સાધ્ય પરમ તત્ત્વ કેવલજ્ઞાનદર્શનરૂપ લક્ષ્યને ધારણામાં લાવીને તે પરમતત્ત્વની પ્રાપ્તિમાં આવરણરૂપે રહેલ કર્મને ક્ષીણમેહરૂપ બાણથી વિધીને સર્વ પ્રકારના મહનીય કર્મના દલનો સંપૂર્ણ વિનાશ કરીને કૃતાર્થ થાય છે. તે વિધિમાં આટલું સમજવું કે-જ્યાં સુધી તે બાણ ન મૂકાય ત્યાં સુધી અનાલંબન યેગને વ્યાપાર હોય છે, પણ જ્યારે ધ્યાનાંતર ક્ષીણમોહનામે બાણને પરમતત્ત્વરૂપ સર્વજ્ઞ પણાને
For Private And Personal Use Only