________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨)
आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदिवस्तु, દીપક કે જે સદા અનિત્ય (ક્ષણિક) દેખાય છે તે તથા
મ-આકાશ સદા નિત્ય દેખાય છે, તેવા જે અનંત પદાર્થો આપણે એકાંત નિત્ય અથવા અનિત્ય જ માનીએ છીએ, પરંતુ અનુભવ કરતાં એ સિદ્ધ થાય છે કે એકેક વસ્તુ એકાન્ત નિત્ય વા અનિત્ય નથી જ, પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, પર્યાયની અપેક્ષાયે અનિત્ય છે, તેથી વસ્તુ, તત્વથી એક જ સ્વાદુવાદ સ્વભાવથી જ પરિણામવાળી છે. જે સર્વ ગુણો અનેક ઇદ્રિયેથી ગ્રાહ્ય છે તે એક શબ્દ જ એકેદ્રિયગ્રાહ્ય થાય? આ શંકાને વિચાર કરતાં જણાય છે કે પુદ્ગલ દ્રવ્યમાં રહેલા રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દરૂપ ગુણે એકેક ઇંદ્રિયગ્રાહ્ય છે. ચક્ષુથી રૂપ, રસનાથી રસ, નાસિકા થી ગંધ, સ્પશે દ્રિયથી સ્પર્શ ગ્રહાય છે. પાંચ ઇન્દ્રિયને પરિણામ પુદ્ગલ દ્રવ્યથી આત્મા ઉપજાવે છે તેમ શબ્દ પણ પુદ્ગલથી જ ઉપજે છે માટે તે સર્વ ઈદ્રિય તથા તેથી ગ્રાહ્ય ગુણે તથા દ્રવ્ય ઇદ્રિયેથી જ ગ્રાહ્ય છે એ અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. પર્યાયની અપેક્ષાએ ગુણ કહેવાય છે. તેમાં એકાંત ગુણસ્વરૂપતા કે દ્રવ્યસ્વરૂપતા નથી જ. દ્રવ્ય પર્યાયાત્મક જ સર્વ વસ્તુ છે, માટે એક તથા અનેક પરિણામને સ્વાદુવાદ સિદ્ધાંત જે અંગીકાર કરવામાં ન આવે તે તે એક પરિણામ સર્વ વસ્તુઓમાં માનવા ગ્ય નથી. દીપકમાં અનિત્યત્વ દેખાય છે તે પણ મૂળથી નાશ નથી દ્રવ્યત્વપણે નિત્યતા કાયમ છે. આકાશ પણ દ્રવ્યથી નિત્ય
For Private And Personal Use Only