________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) કરે. એવી રીતે વારંવાર પૂરક રેચક કરતા પરિશ્રમ લાગે ત્યારે જમણીથી પુરક કરી આપણું શક્તિ પ્રમાણે કુંભક કરીને ડાબી નાસિકાથી રેચક કરે તેને ભસ્ત્રિકા કુંભક કહે છે. સર્વ કુંભકમાં ભસ્ત્રિકા ઉત્તમ છે તેમ સર્વ વેગવિશારદ કહે છે. આથી ત્રિદોષ નાશ થાય છે. સુષુણ્યનું ભેદન કરવામાં આ પ્રાણાયામ મદદગાર થાય છે. પ .
ભ્રામરીકુંભક-ડાબા નાકથી ભમરાના ઝંકાર નાદની પેઠે શબ્દપૂર્વક બહારના વાયુને પૂરક કરીને, શક્તિ પ્રમાણે કુંભક કરીને, જમણુ નાકની વાટે રેચક કર તેને ભ્રામરીકુંભક કહે છે. આથી ચિત્તની સ્થિરતા થાય છે, મન આનંદિત થાય છે કે ૬ છે
મૂરછ કુંભક-જમણી નાસિકાથી પૂરક કરીને જાલંધર બંધથી પવનને કંઠમાં રાખીને, યથાશક્તિ કુંભક કરીને પ્રાણવાયુને બે નાસિકા વાટે હળવે હળવે રેચક કરે તેને મૂછ કુંભક કહેવાય છે. અહિંયા કેટલાક યોગીઓ ઉપરની રીતે કુંભક કરીને જાલંધર બંધન કર્યા પછી બે હાથના અંગુઠાથી કાન ઢાંકે, બે હાથની આઠ આંગળીઓથી નાક તથા મુખ તથા આંખ બંધ કરીને શક્તિ પ્રમાણે કુંભક કરીને પછી જમણું નાસિકાથી વાયુને રેચક કરે. આને કઈ યોગી ષમુખી મુદ્રા પ્રાણાયામ પણ કહે છે છે
પ્લાવિની કુંભક–પદ્માસન વાળી, છાતી બહાર કાઢી, મસ્તક ભણી બે હાથ લાંબો કરી, બે હાથના અંગૂઠાના
For Private And Personal Use Only