________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
જઈ ભક્તામર સ્તેાત્ર સાંભળી શૈક્યાં નહિ. એમને નિયમ એવેા હતા કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભોજન લેવું નહિ; તેથી ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. યશોવિન્દ્રયજીનું તે વખતનું સાંસારિક નામ જશેા હતું, અને તેમની ઉંમર આ પ્રસ ંગે છ વર્ષની હતી. ચોથા દિવસે જગાએ પેાતાની માતુશ્રીને પુછ્યું કે હું માતુશ્રી ! તમે કેમ એ ત્રણ દિવસથી ખાતાં નથી ? માતાએ જવાબ આપ્યા કે હે પુત્ર! હું ભક્તામર સ્તોત્ર સાં
ળ્યા સિવાયા ભોજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે તમારી ખ઼ા હોય તે હું તમને ભક્તામર સ્તંત્ર સંભળાવું. માતા આશ્ચર્ય પામી મેલ્યાં કે તને ક્યાંથી ભક્તામર તેાત્ર આવડે? પુત્રે કહ્યું કે હું માતુશ્રી ! તમે મને તમારી સાથે ગુરૂની પાસે ઉપાશ્રયમાં દર્શન કરવાને તેડી ગયાં હતાં તે વખતે મેં પણ ભક્તામર સ્તોત્ર સાંભળ્યુ હતું તે મને યાદ રહ્યું છે. માતાએ સંભળાવવાનું કથાથી પુત્ર ભક્તામર સ્તોત્ર સપૂર્ણ અને એક પણ બુલ સિવાય સંભળાવ્યુ, તેથી માતાને બહુ આનંદ થયે! અને ભાજન કર્યું. ત્રણ ચાર દિવસ સુધી ભક્તામર સ્તોત્ર પુત્રની પાસેથી સાંભળ્યુ. વરસાદની હેલી સમાપ્ત થતાં શરીર આરોગ્ય ચવાથી જશાનાં માતુશ્રી ગુરૂની પાસે ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર સાંભળવા ગયાં. ગુરૂએ પૂછ્યું કે હૈ મુશ્રાવિકા ! તને ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે. શ્રાવિકાએ બે હાથ તડીને કહ્યું કે આપના પસાયથી મેં ભક્તામર સ્તોત્ર મારા પુત્રના મુખેથી સાંભળ્યું છે. ગુરૂ આશ્રર્ય પામ્યા અને પૂછ્યુ કે તારા પુત્ર ગ રીતે ભક્તામર તેંત્ર સંભળાવી શકે? શ્રાવિકાએ કહ્યું કે હું ગુરૂ મહારાજ! આપની પાસે એક દિવસ હું તે પુત્રો દર્શન કરાવવા તેડી લાવી હતી, તે વખતે આપ ભક્તામર સ્તેાત્ર ખેલતા હતા, તે તેને યાદ રહ્યું હતું તેથી તેણે મને સંભળાવ્યુ. ગુરૂએ તેણીના છ વર્ષની ઉમરના પુત્ર જશાન મેલાવ્યા અને તેની સ્મરણુશક્તિ જોઇ બહુ આશ્ચર્ય પામ્યા. તેને કેટલુંક પૂછ્યું અને તેના પ્રત્યુત્તર તેમને સંતાયકારક મળવાથી ગુરૂ બહુ ખુશી થયા. પુત્ર અને માતા ઘેર ગયા બાદ ગુરૂના મનમાં એક વિચાર સ્ફુરી આવ્યું કે તે આ પુત્ર દિક્ષા લે તેા જૈન ધર્મના ઉદ્ધાર કરી શકે. ગુરૂ કે જેમનું નામ શ્રી નવિજયજી હતું, તેમણે ગામના આગેવાન જેનાને એકડા કર્યા, અને પેાતાના વિચાર પ્રદર્શીત કર્યા. આગેવાન તેમનું મંડળ જશાની માતાની પાસે ગયું અને કહ્યું કે હું શ્રાવિકા! તારા પુત્ર બહુ બુદ્ધિશાળી છે. આવી બાલ્યાવસ્થાથી ધર્મશાસ્ત્રાને અને ભાષાશાસ્ત્રના અભ્યાસ કરશે તેા ભવિષ્યમાં એક મહાન જૈન મેહિારક પ્રભાવક થશે, અને તત્ત્વવેત્તા થશે. ગૃહસ્થાવાસમાં રહેશે તા અલ્પ છાને ઉપકાર કરી શકશે અને પાતાના ગુણાના લાભ આપવાને માટે સાધુના જીવનની પેઠે સ્વતંત્ર કાન કરી શકશે નિહ. આવા એક પુત્રને જૈન ધર્મના ઉદ્ધારને માટે અને આખા જગતના ભલાને માટે બ્રહ્મચર્ય આશ્રમમાં 'સદાકાળ રહે એવી દીક્ષા અપાવવી એ તમારા નામઢે અમર કરવા જેવું કૃત્ય છે. તમારા પુત્રને ગુરૂને સોંપવા માટે સંધ બિનંતિ કરે છે તે સ્વિકા પુત્રની માતા અત્યંત હર્ષાયમાન થઇ અને તેને હર્ષાશ્રુ આવ્યાં, અને સંઘને કહેવા લાગી કે તમને તીથકરા પણ નમસ્કાર કરે છે એવા શ્રી સંધ મારી પાસે પુત્રરત્નની માગણી કરે છે, અને તે જગતના ભલાને માટે મહા પ્રભાવક થશે તે આના કરતાં અન્ય કઈ મને રૂડું જણાતું નથી, માટે મારા પુત્રને હું સંઘને સોંપું છું. સાત ઘર વચ્ચે એકના ,એક પુત્ર હોવા છતાં પણ માતાએ ધર્મના ઉદ્ધારને માટે ગુરુને સોંપ્યા, અને તેમણે દિક્ષા અંગીકાર કરી.
For Private And Personal Use Only