SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્ત્રી લંપટપણુના દોષથી કેટલાક મુસલમાન બાદશાહોએ હિંદુસ્થાનમાં ઘરયુદ્ધ કરીને હજારો મનુષ્યોના પ્રાણ લઈને દેશમાં અશાંતિ ફેલાવીને ભારતભૂમિને અવનતિએ પહોંચાડી. સ્ત્રીઓના મોહમાં ફસાવાથી મનુષ્યો કામવાસન્સને આધીન થઈને વિવેકને ત્યાગ કરીને દુર્ગુણમાર્ગમાં ચાલે છે. ધર્મગુરૂઓ સંબંધી વિચાર કરતાં પણ જણાય છે કે જે જે ધર્મગુરૂઓ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થઈને કામના તાબે થયા છે તેઓએ પિતાની અને પિતાના ધર્મની અવનતિ કરી છે. જે ધર્મગુરૂઓ કામના આધીન થઈને લલનાના દાસ બને છે, તેઓ પોતે તરી શક્તા નથી અને અન્ય મનુષ્યોને પણ તારવાને શક્તિવાન બની શકતા નથી. ધર્મ ગુરૂઓ બ્રહ્મચર્યને ધારણ કરી પોતાની દેશની અને ધર્મ માર્ગની ઉન્નતિ કરી શકે છે. ગૃહસ્થ દશામાં વીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળી શકાય એવાં ગુરૂકૂળ સ્થાપન કરીને ઉછરતા બાળકોને કેળવીને બ્રહ્મચારી બનાવવા જોઈએ અને કામને તાબે કરી શકે એવા ઉપાયો યોજવામાં આવશે તો ધર્મની ઉન્નતિ થઈ શકશે. શ્રીમદ કોઇ નામના દેવને ભાગવામાં પણ સારો ઉપદેશ આપે છે. ક્રોધથી જ્ઞાનને રિશ થાય છે. ક્રોધી મનુષ્યના હૃદયમાં સત્યજ્ઞાન સુરતું નથી અને તે ક્રોધાવેશે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. સંયમનો ઘાત કરનાર ઉપદેશ. ક્રોધ છે. પૂર્વ કોટિ વ પર્યત સંયમ પાળ્યું હોય છે તો પણ ક્રોધથી બે ઘડીમાં તેને નાશ થાય છે. ક્રોધરૂપ અગ્નિ જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તેને પણ બાળે છે અને પ્રાયઃ અન્ય મનુષ્યોના સગુણોને પણ સામગ્રી પામીને બાળે છે. ઇત્યાદિ બાબતને શ્રીમદ્ નીચેની સજાથી કયે છે – ધ તે બોધ નિરોધ છે, કેધ તે સંયમ ઘાતીરે; ક્રોધ તે નરકનું બારણું, ધ દુરિત પક્ષપાતીરે. પાપ. ૧. પા૫ સ્થાનક છ પરિહરો, મન ધરી ઉત્તમ ખેતીરે; કે, ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતીરે. પાપ. ૨. પૂરવ કેડી ચરણ ગુણે, ભા છે આતમ જેણેરે; ક્રોધ વિવશ હુતા દેય ઘડી, હારે સવિફળ તેણેરે. પા૫ . અને આશ્રમ આપણે, ભજન અન્યને દાહરે; ક્રોધ કૃશાનું સમાન છે, કાલે પ્રથમ પ્રવાહેરે. પાપ. ૪. ક્રોધ દોષ ત્યાગવા સંબંધી આ પ્રમાણે સર્જાયનું ઉલલેખન કરીને ઉપાધ્યાયે અહ. કારનો ત્યાગ કરવા સંબંધી પણ ઉત્તમ ઉપદેશ દીધો છે. કar, અહંકાર ત્યાગને ઉપદેશ. તપમ, રું , સત્તામક આદિ અહંકારના વશ થઈને મનુષ્યો આત્માની ઉન્નતિમાં પિતાના હાથે વિદને નાખે છે. અહંકારને જીતવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. માનના ત્યાગ સંબંધી ઉપાધ્યાયે બહુ સારો બોધ આપ્યો છે – માને રાજ્ય ખોયું લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી રાવણે, લિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને છવને આવે નરક અધિકાર એ. માને. ૪, વિનય શ્રુત તપશીલ ત્રિવર્ગ હણે સંવે, માને તે જ્ઞાન ભંજક હેય ભ ભવે, લુપક છેક વિવેક નયને માન છે, એને છોડે તાસ ન દુઃખ રહે છે. માને. ૫. For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy