SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] હિંસાથી આત્માની નીચે દશા થાય છે અને હિંસાથી અનેક ભવમાં પાપકર્મના વિપાકે ભોગવવા પડે છે ઈત્યાદિ કહીને હિંસાથી મનુષ્યની વૃત્તિ પાછી હઠાવીને દયાની વૃત્તિ બીલવવાને શ્રીમદ્ ઉપાધ્યાય પિતાની ફરજ અદા કરે છે. શ્રીમદે સત્યને ઉપદેશ આપતાં કહ્યું છે કે સત્યના સમાન કોઈ ધર્મ નથી. અને અસત્યને ઉપદેશ. સત્યના સમાન કે અધર્મ નથી. અસત્ય બોલવાથી વૈર, ખેદ અને " અવિશ્વાસની વૃદ્ધિ થાય છે. અને જે સત્ય બોલે છે તેની મન, વાણી અને કાયા પવિત્ર થાય છે અને તેનો આત્મા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સત્યથી જગતના સર્વ વ્યવહાર ચાલે છે. સત્યથી પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તના મનુષ્યો પૂર્વે સત્ય વાણું પ્રાયઃ વિશેષતઃ વદતા હતા. આર્યાવર્તની અધોગતિ કરનાર અસત્ય છે. અસત્ય વદનારા મનુષ્યોથી ભારત ભૂમિની અવનતિ થાય છે. ગમે તેવા સંકટમાં પણ સત્ય વ્રતનું પાલન કરવાથી વચનની સિદ્ધિ થાય છે એમ શ્રીમદ જણાવે છે – જે સત્યવ્રત ધરે ચિત્ત, હોયે જગમાંહે પવિત્ર, આજ હે તેરે નવિ ભય, સુર વ્યંતર યક્ષથીજી; જે નવી ભાંખે અલીક, બોલે ઠાવું ઠીક, આજ હા ટેકેરે સુવિવેકે, સુજશ તે સુખ વરેજી. ઈત્યાદિ ગાથાઓથી તેમની સત્યવાણી બોલવાની તથા મનુષ્ય સત્ય બોલે તે તરફ કેટલી બધી રૂચી હતી તે તેમનાં ઉપરનાં વાક્યોથી માલુમ પડે છે. શ્રીમદ્ ચેરીરૂપ પાપકર્મના ત્યાગ સંબંધી ઉત્તમ બોધ દે છે. અને મનુષ્યોને ચેરીના પાપકર્મથી પાછા હઠાવવા શુભ પ્રયત્ન કરે છે. મહાત્માઓના ઉપદેશથી ચોરીને નિષેધ. મનુષ્યો ચોરી કર્મને ત્યાગ કરે છે, તેથી મનુષ્યને અને રાજાને પણ “ શાન્તિ મળે છે. મુનિઓ ગામેગામ ફરીને ચેરી નહિ કરવાનો ઉપદેશ દે છે તેથી મુનિઓ જગતમાં પૂજ્યતાને પાત્ર ઠરે છે. બાલ્યાવસ્થાથી ચોરી કરવાની ટેવ પડે છે અને તે ઉમર વધતાં વૃદ્ધિ પામે છે, ઉપાધ્યાય સંબંધી કહે છે કે – ચેર તે પ્રાયે દરિદ્રી હુયે, ચોરીથી હો ધન ન કરે ને ટકે; ચોરને કેય પણ નહિ, પ્રાય ભૂખ્યું હે રહે ચોરનું પેટ કે. ચોરી. ૨ જિમ જલમાંહિ નાખીઓ, તેલ આવે હો જલમાં અયગોલકે; ચોર કઠોર કરમ કરી, જાયે નરકે હે તિમ નિપટ નિટોલકે. ચેરી. ૩ નાડું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હે થાપણ કરી છે કે, તણ તુ સત્ર ન લીજીએ, અણદીધું હે કિહાં કોઇનું જેહ કે. ચેરી. ૪ બહાચર્યને ઉપદેશ. મહાવર્કને ત્યાગ કરવા સંબંધી શ્રીમદ્ નીચે પ્રમાણે ઉપદેશ આપે છે – चतुर्थ अब्रह्मचर्य पापस्थानक सजाय. પાપસ્થાનક ચોથું વઈએ, દુર્ગતિ મૂલ અખંભ; જગ સવિ મુક્યું છે એહમાં, છડે તેહ અચંભ. રૂડું લાગેરે એ પૂરે, પરિણામે અતિ ક્રૂર; કુલ કિંપાકના સારિખું, વરજે સજજન દૂર પાપ. ૨ For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy