SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ. ૩ [ ] युगम धर स्तवन. . શ્રી યુગમંધર સાહિબારે, તુમશું અવિહડ રંગ, મનના માન્યા, ચોલ મજીઠ તણી પરેરે, તે તે અચલ અભંગ, ગુણના ગેહા. ભવિજન મન ત્રાંબુ કરેરે, વેધક કંચન વાન; મને. ફરિ ત્રાંબુ તે નવિ હોયેરે, તે તુમ નેહ પ્રમાણુ. ગુણ ૨ એક ઉદક લવ જિમ મળ્યોરે, અક્ષય જલધિમાં સાય. મનતિમ તુમ શું ગુણ નેહલોરે, તુજ સમ જગ નહી કોઈ. તુજ શું મુજ મન નેહલોરે, ચંદન ગંધ સમાન; મનમેલ ઓ એ મૂલગોરે, સહજ સ્વભાવ નિદાન. ગુણ. ૪ વપાવજય વિજ્યા પુરીરે, માત સુતારાનંદ, મન. ગજ લંછન પ્રિય મંગલારે, રાણું મન આણંદ. ગુણ. ૫ સુદરાય કુલ દિનમણિ, જય જય તું જિનરાજ, મન. શ્રી નવિજય વિબુધ તરે, શિષ્યને દિઓ શિવરાજ. ગુણુ. ૬ શુદ્ધ પ્રેમ ઉદ્ગારોથી પ્રભુની સ્તવના કરીને શ્રીમદે પિતાની ભક્તિરૂપ નદીને પ્રવાહ ખરેખર હૃદયમાં અપૂર્વ વહેવરાવ્યો છે, તેથી તેમના આત્માની શુદ્ધતાનું અનુમાન વાચકો પિતાની મેળે કરી લેશે. શ્રીમદ્દ જ્ઞાન ગર્ભિત ભક્તિના વિષયમાં જેમ ઉંડા ઉતર્યા હતા, તેમ ક્રોધાદિક દેને ટાળવાના ઉપદેશમાં પણ કારૂણ્ય ભાવથી ઉપદેશક થઈને લોકોને ગુર્જર અહિંસા સુત્રને ભાષામાં સારો ઉપદેશ આપે છે. તેમની બનાવેલી સજજા વાંચીને બાધ. દોષ નિવારક ઉપદેષ્ટા કવિરાજનાં કેટલાંક કાવ્યો જનન્દ સમક્ષ રજુ કરવામાં આવે છે. જગતમાં પ્રાણીઓની હિંસા અટકાવવા માટે હિંસા પાપસ્થાનકની સાયમાં હિંસા કરવાથી હિંસક મનુષ્ય અનેક પ્રકારનાં કર્મ બાંધે છે એમ જણાવે છે. પ્રાણીઓની હિંસા કરનાર સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે. તતસંબંધી કેટલીક ગાથાઓ નીચે લખવામાં આવે છે – પાપસ્થાનક પહેલું કહ્યુંરે, હિંસા નામ દુરન, મારે જે જગ જીવનેરે, તે લહે મરણ અનન્તરે–પ્રાણુ જિનવાણી ધરે ચિત્ત. ૧ માતપિતાદિ અન્તનારે, પામે વિયોગ તે મન્દી દારિદ્ર દેહગ નવિ ટળે, મિલે ન વલ્લભ વૃજરે. પ્રાણી. ૨ હોયે વિપાકે દશ ગુણ, એક વાર કિયું કર્મ, “ શત સહસ્ત્ર કેડી ગમેરે, તીવ્ર ભાવના મર્મરે. પ્રાણ. ૩ મર કહેતાં પણ દુઃખ હુવેરે, મારે કિમ નવિ હોય, હિંસા ભગિની અતિ બુરીરે, વૈશ્વાનરની જેયરે. પ્રાણી. ૪ તેહને જેરે જે હુવારે, રૌદ્ર ધ્યાન પ્રમત્ત, નરક અતિથી તે નૃપ દુવારે, જિમ સુબૂમ બ્રહ્મદત્તરે. પ્રાણી. ૫ રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય, તેહ થકી દરે ટલેરે, હિંસા નામ બલાયરે. For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy