________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોએ પાદરાના સુશ્રાવક વકીલ ત્રિભોવનદાસ દલપતભાઈને તે નિબંધ વાંચવા માટે પરિષદમાં મોકલ્યા. તેમણે પરિષદના ઠરાવેલા ટાઈમે તે નિબંધ વાંચે, તેથી પરિષદમાં આવેલા વિદ્વાનનાં મન રાજી થયાં અને પરિષદુ તરફથી તે નિબંધ છપાઈ પ્રસિદ્ધ થયે પણ જૈનકામમાં તેને બહોળો ફેલાવે, થેડી નકલોના કારણે થઈ શકયો નહિ. તેથી વિક્રમ સંવત ૧૯૮૦ની સાલમાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના આગેવાનોની વિનંતિ થઈ કે તે નિબંધ ફરીથી છપાવાની જરૂર છે. આપની હયાતીમાં તે નિબંધ બીજી વાર છપાય તે ભૂલચૂક રહે નહીં અને જૈન કામ ઉપાધ્યાયજીને સારી રીતે ઓળખી શકે, તેઓની વિનંતિ ધ્યાનમાં લઇને આ નિબંધ બીજીવાર મંડળે છપાવ્ય, તેનાં ફર્મ અમે એ યથામતિશક્તિથી સુધાયાં છે અને તેમાં જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે જૈન વિદ્વાને સુધારણા કરશે એવી આ શા રાખું છું. ઉપાધ્યાયજીના જીવનચરિત્ર સંબંધમાં ભવિષ્યમાં વધુ અજવાળું પડશે. તેમનું જીવન ચરિત્ર લખવાનાં કેટલાક સાધને હાલ જે અનુપલબ્ધ હોય તે ભવિષ્યમાં મળે એવી આશા રહે છે અને તેમના રચેલા ગ્રંથો સંબંધી કેટલાક અંધારામાં રહેલા હોય તે પણ મળી આવે
www.kobatirth.org
For Private And Personal Use Only