________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદરામાં આવવાનું થયું. અને ત્યાં વકીલ મોહનલાલ હિમચંદ તથા શા. માણેકલાલ હરજીવન તથા પ્રેમચંદ દલસુખ તથા મંગળભાઈ લક્ષ્મીચંદ થા ભાઈલાલ ચુનીલાલ વિગેરે શ્રાવકના આગ્રહથી ત્યાં વિશેષાવશ્યક શાસ્ત્રમાંથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાનનો અધિકાર પૂર્ણ વાંચે અને તેથી પાદરાના શ્રાવકને સારે બંધ થયો. વડેદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાની હતી અને તેમાં ગુજરાતી ભાષામાં જૈનમુનિના નિબંધેની આવશ્યકતા જણાઈ અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારના સહોદર શ્રીમંત સંપતરાવ ગાયકવાડે ગુજરાતી સાહિત્ય પરિ. પદ્દમાં પધારવા માટે વિનંતિ કરી અને કોઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથો લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માગ્યો. તેથી અમેએ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય કે જેમણે સંસ્કૃત વિગેરેના સે ઉપરાંત ગ્રંથ લખ્યા છે અને તે મહાન વિદ્વાન વાચક થઈ ગયા છે તેમને નિબંધ લખવાને વિચાર કર્યો અને પાદરાના સંઘના આગે-- વાનને તે પસંદ પડ્યો. અમે એ નિબંધ લખીને પૂર્ણ કર્યો. ગુજરાતી સાહિત્ય પરિષના આગેવાનોને ઘણે આગ્રહ છતાં પણ ત્યાં ન જઈ શકવાનાં કેટલાંક કારણે હોવાથી
www.kobatirth.org
For Private And Personal Use Only