________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગતા છે તેપણુ ગુર્જર ભાષાના પિષક છે. જન કવિઓના ગુર્જર ભાષાપ્રેષક ગ્રન્થમાં પ્રાકૃત માગધી શબ્દો આવી જાય છે તેનું કારણ એ છે કે જન સાક્ષર મુનિને સંસ્કૃત ભાષા અને માગધી ભાષાને અભ્યાસ કરે પડે છે. માગધી ભાષા કે જેને પ્રાયઃ પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે તેમાં જેનાચાર્યોએ હજારો ગ્રન્થ લખેલા છે, તેથી પ્રાકૃત ભાષાના શબ્દ પ્રસંગોપાત્ત આવી જાય એ બનવા એગ્ય છે. અસલની પ્રચલિત ભાષા પ્રાકૃત ગણાય છે. ગુજરાતી ભાષા પણ વસ્તુતઃ પ્રાકૃતભાષા જ ગણી શકાય છે. વડોદરાના કવિ પ્રેમાનન્દની સાથે શ્રીમદ્દ યશોવિજયજીની મુલાકાત થઈ હશે કે કેમ ? તે નક્કી કહી શકાતું નથી. વડોદરામાં કવિરાજ પ્રેમાનન્દનું શરીર છૂટયું, અને ડભોઇમાં વૈષ્ણવીય કવિ દયારામ અને જૈનસાક્ષર કવિરાજ ઉ૦ શ્રીમદ્દ યશોવિજયજીને દેહત્સર્ગ થયે. આ ત્રણ કવિ માટે વડોદરા અને ડઈ ગામ સદાકાળ ગુજરાતી સાક્ષરેને મરણીય રહેશે.
www.kobatirth.org
For Private And Personal Use Only