________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શનના મહાત્માઓમાં પિતાનું ચરિત્ર પિતાની મેળે તે વખતે આત્મપ્રશંસાદિ કેટલાંક કારણથી નહિ લખવાની પ્રણાલિકા હેવાથી તેઓના જીવન ચરિત્રની હકીકત તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રગટી શકે? તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયા હતા તે કેટલીક હકીકત પટ્ટ પરંપર થનાર આચાર્યોની પેઠે જાણી શકાત. તેમના શિષ્ય જ્ઞાની આદિ થયા હોત તે તેઓએ પોતાના ગુરૂનું જીવન ચરિત્ર લખ્યું હોત પણ તેમ દેખવામાં આવતું નથી. પૂર્વાચાર્યોની પાછળ થનાર તેમના શિષ્ય વા તેમના ગુણનુરાગીઓ પૂર્વાચાર્યોનું એતિહાસિક મુદ્દાઓ આદિથી મિશ્ર જીવનચરિત્ર લખી શકે છે. તેમના રચિત ખાદ્યખંડન, પ્રતિમાશતક, અને બત્તીસા બત્તીસી વગેરે ગ્રન્થની પ્રશસ્તિથી કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે. તેમના સંસ્કૃત ભાષામય ગ્રન્થ વા ગુર્જર ભાષાના ગ્રન્થથી તેમના હદય વિચારના અવલોકન દ્વારા આચારઆદિ બાહ્યાચરિત્ર અને તે પ્રસંગના બનાવને આલેખી
www.kobatirth.org
For Private And Personal Use Only