________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન્ય મનુ બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ ધારણ કરીને સંસારમાં વિષયભેગ ભેળવવામાં અમૂલ્ય જીવનને વ્યય કરે છે તેઓ જગના દુઃખમાં ભાગ લેવાને પ્રાયઃ પિતાની વસ્તુઓને ત્યાગ કરી શકતા નથી. વૈરાગ્યથી બાહ્ય પદાર્થોમાં બધાએલું મમત્વ ઉઠવાથી મનુષ્ય ખરેખર પિતાને પ્રાપ્ત થએલી વસ્તુએને અન્ય મનુષ્ય વગેરેના ભલા માટે વાપરે છે. દુનિયાના મનુષ્યનું ભલું કરવા વૈરાગ્યથી જેણે કાયા ઉપરનું મમત્વ ઉતાર્યું છે એવા ભક્ત, દાનવીરો અને -શરે, કાયાને પણ ત્યાગ કરવાને માટે અચકાતા નથી. વૈરાગ્યથી વિષયેચ્છાઓ ઉપર કાબૂ મુકી શકાય છે અને અનીતિના માર્ગમાંથી ચિત્તને પાછું હઠાવી શકાય છે. દુનિયામાં અલિપ્ત રહીને સ્વફરજો અદા કરવામાં વૈરાગ્યની ઘણું જરૂર છે. વિરાગ્ય વિના સાધુઓ બ્રહ્મચર્ય પાળવાને માટે શક્તિમાન થતા નથી. વિષયાસક્તિનો ત્યાગ કરનારા ખરેખર વૈરાગી મનુષ્ય ગણી શકાય છે. શ્રીમદને ઉત્તમ જ્ઞાન ગણિત વૈરાગ્યની
www.kobatirth.org
For Private And Personal Use Only