________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે પણ ગુણનુરાગ દૃષ્ટિથી વાંચવામાં આવે તેજ, ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાન સંબંધી ઘણું લખે છે, અને વિશ્વલોકને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાસ ઈસારે કરે છે તથા વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્થિર થઈ પ્રવર્તિ અન્યને પણ તે માર્ગ દરે છે. પોતે ગુરૂકુળ વાસી હતા. તેમણે જે જે કહ્યું છે તે તેમના જમાનાની દષ્ટિને આ ગળ કરીને અને તેમની અપેક્ષા સમજીને વાંચવામાં આવેતો તેમને લોકો સારી રીતે ઓળખી શકે. તેમનામાંથી ઘણા ગુણે લેઈ શકે, એમ મારું નમ્ર મંતવ્ય છે તે વાંચકે ધ્યાનમાં લેશે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ આત્મકલ્યાણ થવાના અનેક માગી બતાવ્યા છે. તેમના સર્વગ્રંથમાં અધ્યાત્મસાર અને છેવટને જ્ઞાનસાર એ બે ગ્રંથ આખી દુનિયાના લોકોને મોક્ષ માર્ગમાં સંચરવાને માટે ઘણું ઉપયોગી થઈ પડ્યા છે, અને ભવિષ્યમાં ઘણું ઉપયોગી થઈ પડશે, એવું મારું મન્તવ્ય છે. ઉપાધ્યાયજીના સંબંધમાં અનેક વિદ્વાન લેખકે અનેક દષ્ટિબિંદુથી તેમનું જીવન ચરિત્ર લખે તે પણ તેમનું આધ્યાત્મિક જીવન તે પૂરું લખી શકાય તેમ નથી છતાં લેખકે તેમના જીવન સંબંધી તથા. તેમના શાસ્ત્રજ્ઞાન સંબંધી લખી જગત આગળ પ્રકાશ
www.kobatirth.org
For Private And Personal Use Only