________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને હજારે મનુષ્યના પ્રાણ લઈને દેશમાં અશાન્તિ ફેલાવીને ભારતભૂમિને અવનતિએ પહોંચાડે. સ્ત્રીઓના મેહમાં ફસાવાથી મનુષ્ય, કામવાસનાને આધીન થઈ ને વિવેકને ત્યાગ કરીને દુર્ગણમાર્ગમાં ચાલે છે. ધર્મગુરૂઓ સંબંધી વિચાર કરતાં પણ જણાય છે કે જે જે ધર્મગુરૂએ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થઈને કામના તાબે થયા છે તેઓએ પોતાની અને પોતાના ધર્મની અવનતિ કરી છે. જે ધર્મગુરૂએ કામના આધીન થઈને લલનાના દાસ બને છે, તેઓ પોતે તરી શકતા નથી અને અન્ય મનુષ્યને પણ તારવાને શકિતમાન બની શકતા નથી. ધર્મ ગુરૂઓ બ્રહ્મચર્યને ધારણ કરી પિતાની દેશની અને ધર્મ માર્ગની ઉન્નતિ કરી શકે છે. ગૃહસ્થ દશામાં વીશ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય પાળી શકાય એવાં ગુરૂકુળ સ્થાપન કરીને ઉછરતા બાળકોને કેળવીને બ્રહ્મચારી બનાવવા જોઈએ અને કામને તાણે કરી શકે એવા ઉપાયે જવામાં આવશે તે ધર્મની ઉન્નતિ થઈ શકશે.
www.kobatirth.org
For Private And Personal Use Only