SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). વિસ્થા, નકામાં ખર્ચ, વ્યસન, જૂઠી સાક્ષી, સમયને દુરૂપયોગ અને વેર વિરોધનો જે જે પ્રમાણમાં નાશ થશે તે તે પ્રમાણમાં વિજાપુરના લોકોની ઉન્નતિ થશે. વિજાપુરના લોકોમાં સ્વજન્મભૂમિના મનુષ્ય માટે લાગણી ખીલવી જોઈએ. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ઉપકાર, આત્મત્યાગ, કેળવણી, ઉદારતા, વગેરે ગુણોની વૃદ્ધિ, જે જે અંશે વિજાપુરના લોકોમાં થશે તે તે અંશે વિજાપુરના લોકોની ઉન્નતિ થશે. વિજાપુરના મનુષ્યોની સદ્ગુણો વડે ઉન્નતિ થાઓ. વિજાપુરના મનુષ્યમાં પરસ્પર પ્રેમભાવ ખીલે. વિજાપુરના મનુષ્ય જો ચરોત્તરના પાટીદારોની પેઠે સંપીને કેળવણી વ્યાપાર વગેરેમાં દક્ષ બને તે તેઓ પિતાના પૂર્વજોની ઝાહેઝલાલી દેખી શકશે અન્યથા અન્ય દેશીય મનુષ્યોની હરીફાઈમાં પાછળ પડવાથી તેઓ ભવિષ્યની સંતતિના શાપને ભગવશે. દેવગુરૂભક્તિ પુણ્યબળે વિદ્યાપુરીય મનુષ્યોને પ્રગતિના વિચાર તથા આચારમાં પ્રેમભાવ વધે અને મૈત્રી, મેદ, માધ્યસ્થ અને કારાગ્યબળથી તેઓના આત્માની ઉન્નતિ થાઓ. (ત્યેવં થા: વિજાપુરમાં શ્રીમંત સરકાર ગાયકવાડ શ્રીમત સયાજીરાવે વિજાપુરના લેકોના કલ્યાણાર્થે ગુજરાતી શાળા તથા ઇંગ્લીશશાળા સ્થાપી છે. અને પ્રજાની સાહાટ્યથી સં. ૧૯૬૮ માં સાર્વજનિક લાયબ્રેરી ખોલવામાં આવી છે. તેની વ્યવસ્થા સારી રીતે ચાલે છે. વિદ્યાર્થિોને કસરતને લાભ આપવા માટે એક કસરત શિક્ષકને રાખવામાં આવ્યો છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારની કેળવણીને પ્રચાર કરવામાં અત્યંત અભિરૂચિ છે તથા તેઓ રાજ્યની ઉન્નતિ કરવા સુધારા વધારા કરતા રહે છે. અમોએ સં. ૧૯૬૪ ના ચૈત્ર સુદ ચોથના રોજ વડોદરામાં લક્ષ્મીવિલાસ પેસમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની વિનંતિથી તેમના આત્માની ઉન્નતિ માટે આત્મનતિ વિષય પર ભાષણ આપ્યું હતું. શ્રીમન્ત સરકાર સયાજીરાવ ગાયક્વાડના ગુણોની નીચે પ્રમાણે ગુણ સ્તુતિ કરવામાં આવે છે. श्रेयःसंततिभूषितः श्रुतकलावारांनिधेः पारगः, शौटीर्य कलयन् मुजेन विमलं रक्षाकरं प्राणिनाम् । आजन्मोर्जितशुद्धचित्रचरितः संचारिकीर्त्तिवजो, ___ जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ १ ॥ उन्मार्गस्थजनान् सुमार्गगमनान् संपादयन् नीतितो, _ मित्रामित्रसमानदण्डविभवः शिष्टानुरक्षाकरः । For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy