________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
૯૦ મા શ્લોકમાં તથા ખીજા શ્લોકામાં પણ અક્ષરે બરાબર વચાયા નહિ હોવાને લીધે તથા વહેંચાતા અક્ષરેાથી અય સંગત થતા નહીં હાવાથી સ્ફુટ ભાવ દર્શાવી શકાયા નથી.
વિજાપુર સંબંધી હકીકતમાં સધપુરના શિલા લેખથી કંઇક અજ વાળુ ઉપર પ્રમાણે પાડયું. હવે વિજાપુરની કયા દેશમાં ગણના કરવી તેને ડાપાદ્ધ કરવામાં આવે છે. વિજાપુર-વડનગર-પાટણૂ-મહેસાણા વગેરે શહેશની પૂર્વે કયા દેશમાં ગણના થતી હતી તેને પ્રાચીન ઐતિહાસિક પુસ્ત કાથી નિણૅય થઇ શકે તેમ છે. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દૃષઢતી એ બે નદીના મધ્ય પ્રદેશને બ્રહ્માવત દેશ કહેવામાં આવે છે એમ જણાવ્યુ છે. અંબાજી કુંભારીયાથી એક ગાઉ છેટેથી સરસ્વતી નદી નીકળે છે અને તે કચ્છના રણમાં સમાઇ જાય છે. હવે બીજી દૃઢતી નદીના વિચાર કરીએ. સાખરમતી સાંખર સરાવરમાંથી નીકળે છે. તેના ઉપર સદા વાદળાં રહેવાથી તેને સામ્રમતી પણુ કથવામાં આવે છે. વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાના સમયમાં થએલ શ્રીધનેશ્વરસૂરિ કે જેમણે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથ રચ્યેા છે તેમાં સાભ્રમતી ( સાખરમતી ) ના ઉલ્લેખ છે. મનુસ્મૃ તિમાં લખેલી દષતી નદી કઇ તેના વિચાર કરવા ઘટે છે. પથરા વાળી નદીને હૃષતી એવું ગુણુ નિષ્પન્ન નામ આપવામાં આવ્યુ છે. મેવાડના પતાને ભેદીને સાખરમતી નદી ખંભાતના અખાતને મળે છે. મેવાડથી ઠંડ એકલારા ગામ સુધી સાબરમતીને અવલેાકવામાં આવે છે તે તેમાં મેટા મેટા પત્થરી પડેલા જણાય છે. સાબરમતીના પટ્ટ પર અને તેમાં ઘણા પત્થર હેાવાથી તેને દૃઢતી કહેવામાં આવી હોય એમ જણાય છે તથા તેના પર ચેમાસા શિયાળામાં ઘણાં વાદળાં હોવાથી શ્રીધનેશ્વરસૂરિએ તેને સાભ્રમતી તરીકે તે વખતની પ્રસિદ્ધિથી લખી હોય એમ જણાય છે. આમુજી પાસે ખારી કરીને એક નદી વહે છે પણ તે સામાન્ય છે અને તેમાં તે પત્થરા પણ નથી માટે સાભ્રમતીને હૃષતી પૂર્વે મનુના સમયમાં કહેવામાં આવતી હોય એવા અનુમાન પર આવીએ છીએ.
મનુસ્મૃતિ દ્વિતીયેાધ્યાય. सरस्वतीदृषद्वत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावर्त प्रचक्षते ॥ तस्मिन् देशे य आचार: पारम्पर्यक्रमागतः । वर्णानां सान्तरालानां स सदाचार उच्यते ॥
For Private And Personal Use Only