SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) જે નગરમાં નિવાસ યોગ્ય ઉચી ગૃહપક્તિ વિદ્યમાન છે. અને જ્યાં ધનવંત મનુષ્ય નિપુણ હેઈને પાત્રાપાત્રની પરીક્ષા કરી આગમ શાસ્ત્ર કથિત ગુણો વડે વિશિષ્ટ છેક પાત્રને દાન આપી પોતે મેળવેલી લક્ષ્મીને સદ્વ્ય ય કરે છે. ૮૩ જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય, શક જનસમુદાય હમેશાં પિતપતાના કાર્યમાં ઉદ્યમાન છે, તથા મસર રહિત અને પ્રશસ્ત ઉંચા મનવાળો છે. અને કોઈ પણ મનુષ્યને આફતમાં આવેલો જોઈ, સર્વ પ્રકારોવડે ક્ષણવારમાં તેને ઉદ્ધાર કરીને જ સુખી થાય છે. તેથી મહાન પુરૂષનું બરાબર આચરણ કરે છે. ૮૪ જ્યાં સુગંધિત પુષ્પોના સમૂહની અનેક પ્રકારની સુગધ દ્વારા દિશાઓ બહેકી રહે છે. તથા જ્યાં સ્વર્ગ–મૃત્યુ-પાતાળ-ના પ્રાણીઓની દષ્ટિ રૂપ કુમુદની પંકિતને પ્રફુલિત કરવામાં ચંદ્રમુખી દિવ્ય અંગનાએ વસે છે. તેથી જે નગરનાં ગૃહે ખરેખર વિમાનની શોભાને ધારણ કરે છે ૮૫ જે નગરમાં લક્ષ્મીવંત શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પ્રતિદિવસ વારંવાર દારૂ કરાતા પવિત્ર મહોત્સવ અને અભુત વિભ્રમોને વિષે વાગતાં માંગલિક વાજાના શબ્દો વડે દેવલોકના દેવદુમિના નિર્દોષ ધ્વનિને સ્કૂર્તિમાં લાવવા પૂર્વક ભયરોને નચાવતા છતે જગતને શાબ્દવરૂપી કરે છે. ૮૬ જે નગરમાં સારાં વસ્ત્રો વડે સુશોભિત થએલી અને રન-સુવર્ણદિની રચના વડે અલંકૃત થએલી, તથા ચંદન-કપૂર-કસ્તૂરી વડે હદયને આકર્ષિત કરનારી બજાર, વેશ્યાની જેવી શોભે છે. ૮૭ જે નગરમાં શ્રાવકોને સમુદા યસ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે. અને રાત્રિદિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે. તથા પારરહિત સંસારસાગરને તરી જવા ઇચ્છા ધરાવનારે હેઈ તીર્થંકર-પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિત બની નિત્યાનંદ સ્વરૂપવાળી મુક્તિરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે. ૮૮ તે નગરમાં શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનારા અબડ, જેહડ, સેમદેવ, દેવધર, દેહડ વગેરે શ્રાવકોને સમુદાય વસે છે. ૮૯ જે સમ્યકત્વને ધારણ કરનારો છે. ૯૦ જેને હમેશાં ચારિત્ર લેવાની ઈચ્છા છે તથા જે વિષક્ષની પેઠે કડવા ફલવાળા સંસારનો દૂરથી ત્યાગ કરવા ઇચ્છે છે. તથા જે મુક્તિરૂપી સ્ત્રીના હદય ઉપર રમવાની ઇચ્છા ધરાવે છે અને સમ્યકકારે ધારેલી દેશવિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદ-શ્રેણિને આપે છે. ૯૧ For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy