SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) માં જે જે ઉપાયે ગ્રહણ કરે તે પ્રમાણે પોતે જેને એ પણ ધર્મ વૃદ્ધિના ઉપાયે ગ્રહણ કરવા. જો એ પ્રમાણે જેનો સમય વિચારી કર્મયોગી થઈ વર્તશે, તે દુનિયામાં જેનોનું અસ્તિત્વ સંરક્ષી શકશે, અને અન્ય ધમીઓના આક્રમણ-હુમલા વગેરેથી બચી શકશે. જેનેએ જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાદિક ચારે વર્ણના ગુણ કર્મોને પ્રગટાવી સ્વાશ્રયી બની જીવવા ખાસ લક્ષ્ય દેવું. ઉંઘતી કોમ મરે છે અને જાગતી કેમ જીવે છે. જેને એ દુનિયામાં સર્વ વાતની ધમી કેમ સામે ટકી જીવી રહેવાનું સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરવું. પ્રસંગ પડયે અન્ય કોમે જે સ્વકેમનો બહિષ્કાર-અસહકાર કરે તો તે વખતે જેનેએ સ્વાશ્રયી રહેવાની સામગ્રીઓ પહેલાંથી પ્રાપ્ત કરવી અને અન્ય કેમના આશ્રયવિના પણ જીવી શકાય તથા જૈનધર્મને પાળી શકાય એવી આત્મબળકળની શક્તિ વડે યુક્ત રહેવું અને આપત્કાલે આપકાલીન ધર્મથી જીવીને જેન તરીકે રહેવું. જેનેએ બાલલગ્ન તથા વૃઢલગ્ન ન કરવાં તથા કરાવવાં નહિ, કસરત, હવા, જલ,પ્રકાશ, અન્નવાથી શરીરનું આરોગ્ય જાળવવું. મટી કેમ નાની કેમોને ગળી જાય નહીં એવું જ્ઞાન કરી સાવધ રહેવું. દેશ રાજ્ય ધન કીર્તિ અને પ્રાણને નાશ થાય તો પણ જૈનધર્મથી ભ્રષ્ટ ન થવું. અથોત જૈનધર્મની આગળ સર્વ વસ્તુઓને તુચ્છ સમજવી. સર્વ પ્રકારની કલાઓનું શિક્ષણ લેવું. મહાજન મહાસંઘનું બળ જાળવી રાખવું. કેઈથી ડરવું નહીં. સર્વ બાબતમાં સુજ્ઞ રહેવું. જેનશાસ્ત્રમાં શ્રાવકને સવા વસાની દયા કહી છે, માટે જૈન કમ-સંઘ ધર્મને નાશ થાય એવી શાસ્ત્ર વિરૂદ્ધ અતિદયાથી દૂર રહેવું. આત્માનું અને કર્મનું વરૂપ જાણવું; પણ ભાવિમાં હશે તે થશે અથવા કર્મ માં લખ્યું હશે તેમ થશે. એવું એકાંત હઠવાદથી માની પુરૂષાર્થને-ઉદ્યમને ન મૂક. એ પ્રમાણે અમારી જેમકેમને ગુરૂની ફરજ તરીકેની હિતશિક્ષા આપી છે, માટે સર્વ પ્રકારનું જ્ઞાન મેળવનારા જેને મારી શિક્ષા સત્ય સમજી તે પ્રમાણે વર્તશે તે તેઓની પડતી થશે નહીં અને હવેથી તે પ્રમાણે વર્તતાં બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામશે. અમારી શિક્ષા પ્રમાણે વર્તે એમ ઈચ્છું છું. અંધતા, અતિદયા અને અશક્તિ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy