________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
આવક ધર્મ સ્વરૂ૫.
વામાં તનમન અને ધનથી સહાય કરે છે. પરમ પ્રેમથી સાધુની ભક્તિ કરે છે. સાધુઓના દુર્ગણે ઠેરઠેર બોલતા નથી; પણ તેઓમાં જે જે સગુણ હોય છે, તેને સર્વત્ર ફેલાવે છે. સાધુઓની કોઈ નિન્દા કરે છે, તે તેને વારે છે. સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવામાં પૂર્ણ મદદ કરે છે–સાધુઓ પ્રતિ અત્યંત નેહભાવ દર્શાવે છે, તેના માતા પિતા સમાન શ્રાવકો, સાધુ વર્ગની સદાકાળ વૃદ્ધિ ઇચ્છે છે. સાધુ વર્ગની ઉન્નતિ કરવા સદાકાળ પ્રયત્ન કરે છે. સાધુ વર્ગપર કદાપિ કાળે તેવા શ્રાવકો દેષ કરતા નથી. પડતા એવા સાધુને ગમે તે ઉપાયવડે ઠેકાણે લાવે છે. કોઈ સાધુ ગુરૂની નિન્દા હેલના કરે છે, તે તેને શિક્ષા-શિખામણ આપી અટકાવે છે.
સાધુઓને વંદે છે, પૂજે છે, અને તેમની સેવા કરે છે. કેટલાક શ્રાવકો ભાઈ સમાન હોય છે–ભાઈ જેમ અત્યંત સ્નેહ રાખે છે–દુઃખમાં સહાય કરે છે-હૃદયમાં ભેદ ભાવ ધારણ કરતા નથી. તેમ સંકટ ઉપસર્ગ આવે છતે તન, મન અને ધનથી મદદ કરે છે, ગુણોના સામું જુવે છે અને દોષને ઢાંકે છે. ભ્રાત સમાન શ્રાવકો દરરોજ સાધુઓ પાસે આવે છે. ધર્મ કથાઓ સાંભળે છે. સાધુઓના દુખે દુઃખી થાય છે. ભ્રાતા સમાન શ્રાવકો સાધુએના દોષોને ઢાંકે છે અને ગુણોનો સર્વત્ર ફેલાવો કરે છે. સાધુઓને સંકટ વખતમાં પ્રાણુ અપને પણ સહાય કરે છે, કોઈ સાધુઓના પ્રતિપક્ષીઓ સાધુની હેલના કરે છે, તે તેનું તેઓ નિવારણ કરે છે. સાધુના ઉપર પૂર્ણ પ્રેમ રાખે છે. સાધુઓની શોભા વધારવામાં અનેક યોગ્ય ઉપા
ને સેવે છે. સાધુઓનાં છતાં દૂષણોને પણ ઢાંકે છે અને તેઓ એકાતમાં અત્યંત પ્રેમથી યંગ્ય સલાહ આપે છે. ભ્રાતસમાન શ્રાવકો સાધુઓને કદી વિશ્વાસઘાત કરતા નથી. સાધુ વર્ગની સેવામાં પોતાના પ્રાણને પણ હિસાબમાં ગણતા નથી. ભ્રાતસમાન શ્રાવક, સાધુના મનમાં થતાં આર્ત. ધ્યાન અને રેશદ્રધ્યાનને પણ બનતા ઉપાયથી નિવારે છે. સાધુઓને પચાચાર પાળવામાં ખરા જીગરથી સહાય કરે છે. ગમે તેવા સંયોગોમાં પ્રાણુતે પણ સાધુઓના પ્રતિપક્ષી બનતા નથી, અને પ્રાણુ જતાં પણ સાધુઓના છતા અગર અછતા દેની નિન્દા કરતા નથી. ભ્રાતસમાન શ્રાવકો, પૂજ્ય ગુરૂ સાધુઓની સેવા, ભકિત, પૂજા, બહુમાન કરવામાં કોઈ પ્રકારે ન્યૂનતા રાખતા નથી. ગુરૂઓના વિનયમાં અલ્પ આદરવાળા છતાં મુનિ ગુરૂપર અને ત્યન્ત સ્નેહ રાખે છે અને મુનિ ગુરૂનો કદાપિકાળે પરાભવ થવા દેતા નથી. . કેટલાક શ્રાવક, શ્રી મુનિ ગુરૂ પ્રતિ મિત્ર ભાવની દૃષ્ટિથી વર્તે છે. મુનિ વગપર તે અનન્ય દષ્ટિથી જુવે છે. મુનિગણ જે કોઈ ધાર્મિક કાર્યની સ
For Private And Personal Use Only