________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૧૮
માથા.. कालमि अणाइए अगाइ, दोसेहि वासिए जीवे ॥ जं पावियइ गुणोविहु,तं मन्नइ भो महच्छरियं ॥२॥
અનાદિકાળથી અનાદિ દેવડે વાસિત થએલા આ જીવમાં જે કોઈ ગુણ લાભે (પગ) તે મહાઆશ્ચર્ય માનવું જોઈએ. તેમજ જણાવ્યું છે કે,
માથાં. भूरिगुणा विरलच्चिय, एकगुणोवि हु जणो न सव्वथ्थ ॥ निदोसाणवि भई, पसंसिमो थोवदोसेवि ॥ ३ ॥
ઘણુ ગુણવાળા તે વિરલા નીકળી શકે પણ એકએક ગુણવાળો મનુષ્ય પણું સર્વત્ર મળી શકતો નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણ છે. પણ અમે તે જેઓ ઘણું દે છતાં થોડા ગુણોવાળા છે તેમની પણ પ્રશંસા કરીએ છીએ.
ગુણરાગી મનુષ્ય, સંસારી જીની કર્મથી થએલી દશાને વિચારતો છતો નિર્ગુણોને પણ નિન્દો નથી. જે નિન્દા કરે છે તે સાધુપુરૂષ ગણાતો નથી, કેમકે શ્રાવક ધર્મના લાયક બની શકતો નથી તે સાધુ ધર્મના લાયક તે ક્યાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણનુરાગી જે જે ગુણે પ્રાપ્ત કરે છે તેને મલીન કરતો નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ગુણેને પ્રકાશ વધારતો રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સગુણોને વાસ થાય છે. ગુણાનુરાગી કોઈની ઈર્ષ્યા કરતો નથી, તેમજ કોઈને હલકો પાડવા કોઈના ઉપર આળ કે તહોમત ચઢાવતો નથી. ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હોય છે તે પણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેને આત્મા શુદ્ધ થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કોઈ. નામાં અનેક દેશો હોય છે છતાં તે પર ન ચાંટતાં તેના ગુણપર ચેટે છે. ગુણાનુરાગી અપકાળમાં મુકિત પામવાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં બણગાં ફુકનાર તે ઘણુ મળી આવે છે, પણ કોઈન એક પણ સગુણ તરફ દષ્ટિ દેનાર તો લાખો વા હજારોમાંથી એક મળી આવે દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે. કલ્પવૃક્ષોની પેઠે ગુણાનુરાગી પુરૂષો સર્વત્ર માનનીય થઈ પડે છે. સમાજમાં, નાતજાતમાં, કુટુંબમાં, વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભેગવે છે.
For Private And Personal Use Only