________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
અશુભ કરતાં પોતાના હૃદયમાં જે અશુભ પરિણામ છે તેજ પેાતાનું ખુરૂ કરે છે અને તેથી ખરાબ અવતારો ધારણ કરવા પડે છે.
For Private And Personal Use Only
૩૦.
પાપકર્મથી ઠ્ઠીનાર મનુષ્ય પાપીઓની અપેક્ષાએ શૂરવીર ન ગણાય પશુ તે ધર્મીઓની અપેક્ષાએ શૂરવીર ગણાય છે. પાપી પાપથી ભય પામનારાઓને કેટલીક વખત પ્રવૃત્તિ માર્ગમાં હઠાવી દે છે અને પાપભીરૂને પેાતાના તાબામાં રાખે છે. પાપીએ લડાઇ, ટંટા, મારામારી, હિંસા કર્મ વગેરેથી ડરતા નથી તેથી તે પાપભીરૂની સાથે યુદ્ધ વગેરેમાં ફ્રાવી જાય છે અને પાપભીરૂ ૨'કપ્રજા તરીકે સદાકાળ પાપીના પંજામાં સાય છે અને તેથી કોઈ વખતે તે ધર્મના બચાવ કરવા પણ સમર્થ થતા નથી, તેથી મુસલમાનના જોરથી કેટલાક હિન્દુ મુસલમાન થઇ ગયા તેમ પેાતાના કુટુંબને પણુ અન્ય ધર્મ સ્વીકારવાની ફરજ પડે છે. આમ કાઈ આશકા કરી પાપભીરૂપણાને ઉડાવે તેને ઉત્તરમાં કહેવાનું કે પાપભીરૂપણું પણ અમુક અપેક્ષાએ લેઇને છે, તેથી પૂર્વોક્ત દાષાપત્તિનું કલંક ઉડી જાય છે. ધર્મ રક્ષણ આદિ માટે, હૃદયમાં પાપના ભય રહે તાપણુ, ખાલથી અમુક સ્થિતિએ વર્તવું પડે છે અને ધર્મની રક્ષા માટે શૂરવીર થવું પડે છે, વગેરે અનેક અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં સમજતાં, પાપભીરૂ થવામાં જે જે અપેક્ષાએ શૂરવીર રહેવાનું છે, તેમાં કાઈ જાતના ખાધ આવતા નથી. શ્રી મહાવીર સ્વામીના શ્રાવક ચેડા મહારાજે પેાતાની ક્ષત્રિય ધર્મની નીતિ સાચવવાને માટે ધાર યુદ્ધ કર્યું હતું અને તેમાં પેાતાની સામે લડવાને ચમરેન્દ્ર આવ્યા હતા તે પણ તે ડર્યા નહાતા. કુમારપાળ, ભરતરાજા, બાહુબલિ વગેરેના દાખલા મોજુદ છે. વિશેષ માટે જૈન શૈલીના નાતાને પુછી ખુલાસા કરવેા. પાપભીરૂ બનવાથી અકા થતાં અટકે છે. પાપભીરૂ, અન્યાય નવા કદી પ્રવૃત્તિ કરતા નથી, તેમજ તે રાજ્યના કાયદાઓ કે જે પ્રજાના ભલા માટે કર્યા તેને માન આપી વર્તે છે; રાજ્યવિરૂદ્ધ કૃત્ય કરવામાં પાપભીરૂ ડરે છે. અનીતિના કાર્યોંમાં તે માથું મારતા નથી અર્થાત પ્રવૃત્તિ કરતા નથી, તેથી નીતિ માર્ગમાં તેના સહેજે પ્રવેશ થાય છે. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મવિરૂદ્ધ કાર્ય કરી શકતા નથી. પાપના ભયથી તે સાધુ મહાત્માઓને કદી પીડી શકતા નથી, તેમજ મછતાં આળ કાઇના ઉપર મૂકી શક્તા નથી. પાપના ભયથી તે લીધેલાં વ્રત ભાગી શકતા નથી. વિનાકારણે પાપભીરૂ, કોઈ પણ જીવના બાત કરવા અશુભ પ્રવૃત્તિ આદરતા નથી. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મની નિન્દા કરતાં તેમજ હિંસા, જાઇ, ચારી, વ્યભિચાર વગેરેમાં