________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૦
શ્રાવક ધર્મ સ્વરૂપ,
અવિરતિ સભ્યદૃષ્ટિ શ્રાવક હતા; તેમજ શ્રી ચાવીશમા તીર્થંકર શ્રાવીર પ્રભુના શ્રેણિક રાજા, અવિરતિ શ્રાવક હતા. જ્યારે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય ટળે છે ત્યારે દેશવિરતિ પાંચમું ગુણુઠાણું શ્રાવકને પ્રાપ્ત થાય છે અને તેથી તે વિકૃતિ શ્રાવક કહેવાય છે. પ્રશ્ન-અવિરતિ શ્રાવક અને વિરતિ શ્રાવક એ એમાં મહાન કાણુ ? ઉત્તર્—અવિરતિ શ્રાવક કરતાં વિકૃતિ શ્રાવક માત્ છે. પ્રશ્ન—કાની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે ? ઉત્તર-શ્રી સદ્ગુરૂની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન—શ્રી સદ્ગુરૂ પાસે જને ભવ્ય જીવાએ શું કરવું જોઇએ ? ઉત્તર—શ્રી સદ્ગુરૂને પ્રશ્ન પુછવા જોઇએ. ધર્મતત્ત્વ સબંધી જ્ઞાન કરવા માટે મનમાં જે જે શંકા ઉડે તેના ખુલાસા કરવા જોઇએ. શ્રી સદ્ગુરૂની દેશના સાંભળવી જોઇએ. ગુરૂને પ્રશ્ન પુછવાથી તથા તેમની દેશના સાંભળવાથી અનેક પ્રકારના ફ્ાયદા થાય છે. જુઓ શ્રી રાયપલેની સૂત્ર. શ્રી કેશિકુમાર મુનિવર્યની પાસે પ્રદેશી રાજા ગયે હતા તે પ્રથમ તે અત્યંત નાસ્તિક હતા, દેવલાક, સ્વર્ગ, પુણ્ય, પાપ, મુક્તિ અને આત્મા વગેરે કંઇ છેજ નહિ એમ માનતા હતા, હિંસાકર્મ વગેરેમાં આસક્ત હતા સાધુઓને તે પાખંડી ઢાંગી માનતા હતા. પણુ કેશિકુમાર મુનિરાજને પ્રશ્ન પુછતાં તેના મનની શંકા ટળી ગઇ અને આત્માદિ તત્ત્વની દૃઢ શ્રદ્ઘા થઇ અને તેણે કેશિકુમારને ધર્માચાર્ય તરીકે માન્યા. પ્રદેશી રાજાએ શ્રાવકના ધર્મ અંગીકાર કર્યાં. આ ઉપરથી સુના જોશે કે મુનિગુરૂને પ્રશ્ન પુછતાથી સમ્યક્ તાની દૃઢ શ્રદ્દા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-શું શું જાણુવાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય છે ? ઉત્તર—નવતત્ત્વ, ષદ્ભવ્ય, કર્મસ્વરૂપ, સાતનય, સમભંગી, નિક્ષેપ, ગુણુસ્થાનક, ખારવ્રત, પંચમહાવ્રત, પંચભાષ્ય, દેવ, ગુરૂ અને ધર્મ વગેરે તત્ત્વાનું સ્વરૂપ, જાવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. નવ તત્ત્વ જાણ્યા વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મે અને ઉધમ એ પાંચ કારણથી કાર્ય થાય છે; એમ જે જાણે છે તે શ્રાવક થઈ શકે છે. જીનેશ્વરે જે કહ્યુ છે તે સત્ય છે, એમ જે દૃઢ શ્રદ્ધા ધારણ કરે છે તે શ્રાવક થઇ શકે છે. ઉપશમાદિ નિશ્ચય સમ્યક્તત્ત્વનેતા કેવલજ્ઞાની વિના અન્ય કાઇ જાણી શકે નહિ. નિશ્ચય સમ્યક્ત્વને કાઇ હાલ પોતે જાણી શકે નહીં, નિશ્ચય સમકિત
For Private And Personal Use Only