________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- વચનામૃત.
૨૩૭
www
૧૦. આ દુનિયાને ઈશ્વરે એકકાલાવડેદન ઉત્પન્ન કરી કે કેમ? ૧૧- દુનિયા બનાવનાર ઈશ્વર દયાળુ છે કે કેમ ?
પક્ષપો –દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે? તેના જવાબમાં તમે કહેશે કે-ઈશ્વરે સર્વ જીવોને સુખી કરવા દુનિયા ઉત્પન્ન કરી તે પણ તમારાથી કહેવાશે નહિ, કારણકે પહેલાં ત્યારે શું જો દુઃખી હતા ?
જ્યારે દુઃખી હતા ત્યારે તે દુઃખ તેમને કયાંથી વળગ્યું ? અને તે દુઃખ વળગવાનું શું કારણ તે કહેવું જોઈએ. તો તે કર્મ વિના બીજું કંઈ કહેવાશે નહિ, અને જ્યારે કર્મ માનશે ત્યારે કર્મ પણ જીવની સાથે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાંનું ઠર્યું તેથી કર્મ છવની સંગત છે એમ નક્કી કર્યું. અને દુનિયા પહેલાં જીવ અને કર્મ બે વસ્તુઓ સિદ્ધ કરી. ત્યારે બીજું શું ઈશ્વરે બનાવ્યું તે દેખાતું નથી. વળી જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પહેલું કર્મ કે જીવ તે પ્રશ્ન ઉત્પન્ન થશે, ત્યારે પહેલો જીવ યા કર્મ એમાંનું કોઈ પણ કહી શકાશે નહિ. અલબત બન્ને સાથે છે એમજ કહી શકાશે. જેમ સૂર્ય અને સૂર્યને પ્રકાશ, જેમ કુકડી અને કુકડીનું બચ્ચું, જેમ રાત્રિ અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કોણ છે તે જેમ કહી શકાતું નથી તેમ પહેલું કર્મ યા જીવ કહી શકાય નહિ. જીવ અને કર્મ ઘણું કાળથી સંયોગી છે. તે કાળની આદિ પણ મળી શકવાની નથી, માટે અનાદિ કાળથી છવ અને કર્મને સંયોગ છે એમ સિદ્ધ થયું. ત્યારે કર્મના સંયોગથી છવ દુઃખી થાય છે માટે કર્મ પણ એક પદાર્થ છે તે સિદ્ધ કર્યું. કર્મ જુદા જુદા પ્રકારનાં સુખ દુખ કરે છે માટે જીવ અને કર્મ જે અજીવ રૂપે છે તે, એમ જીવતત્વ અને અજીવતત્ત્વ બે વસ્તુઓ અનાદિ કાળથી સિદ્ધ કરી. વળી ઈશ્વરને દયા આવી તેથી દુનિયાની (સૃષ્ટિની) ઉત્પત્તિ કરી, લેકોને સુખી કરવા એવી ઈચ્છા થઈ તે પણ ઇચ્છા બેટીજ છે. કારણ કે ઈશ્વરમાં જે શક્તિ હેત તો દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખનો નાશ કરી શકત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખ કાપવાની શક્તિ નહતી કે શું? જે કદાપિ શક્તિ નહોતી એમ કહેશો તે દુનિયા પણ તેનાથી ઉત્પન્ન થઈ તે વાત ખોટી છે અને તેનાથી જીવોનાં દુઃખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લે અજ્ઞાન યુક્ત કર્યો. વળી દુઃખ છે તે રૂપી છે કે અરૂપી ? નિત્ય છે કે અનિત્ય છે? સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? આ જગતમાં દુઃખ કોણે ઉત્પન્ન કર્યું ? કહેશો કે ઈશ્વરે દુખ દુનીયામાં ઉત્પન્ન કર્યું, તે તેને માલુમ નહોતી કે છ બિચારા દુખી થશે.
For Private And Personal Use Only